DRDOએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેની માહિતી શેર કરી છે.
DRDOએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેની માહિતી શેર કરી છે. ડીઆરડીઓએ લખ્યું છે કે ફ્લાઇટ ટેસ્ટમાં પરીક્ષણના તમામ ઉદ્દેશ્યો પૂરા થયા હતા અને ધોરણોને પૂર્ણ કર્યા હતા.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ એર-ટુ-સર્ફેસ એન્ટિ-રેડિયેશન મિસાઈલ રુદ્રમ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલને આજે ઓડિશાના દરિયાકાંઠે વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ સુખોઇ-30 (Su-30MKI)થી છોડવામાં આવી હતી. ડીઆરડીઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. ડીઆરડીઓએ લખ્યું છે કે ફ્લાઇટ ટેસ્ટમાં ટેસ્ટના તમામ ઉદ્દેશ્યો પૂરા થયા હતા. આમાં પ્રોપલ્શન સિસ્ટમથી લઈને નિયંત્રણ અને માર્ગદર્શન અલ્ગોરિધમ્સ સુધીની દરેક વસ્તુની પુષ્ટિ કરવામાં આવી હતી.
રક્ષા મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં DRDO, એરફોર્સ અને ઈન્ડસ્ટ્રીને મિસાઈલના સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ પરીક્ષણની સફળતાએ રુદ્રમ-2ની ભૂમિકાને મજબૂત રીતે સમર્થન આપ્યું છે અને તે ભારતીય સશસ્ત્ર દળોની તાકાતમાં અનેકગણો વધારો કરશે.
રુદ્રમ-2 એન્ટી રેડિયેશન મિસાઈલ શું છે?
રુદ્રમ-2 એ સ્વદેશી રીતે વિકસિત ઠોસ પ્રોપેલન્ટ એર-લોન્ચ મિસાઈલ સિસ્ટમ છે, જે દુશ્મનોના વિવિધ લક્ષ્યોને નષ્ટ કરવામાં સક્ષમ છે. વિવિધ DRDO પ્રયોગશાળાઓ દ્વારા વિકસિત ઘણી અત્યાધુનિક સ્વદેશી તકનીકોને મિસાઈલ સિસ્ટમમાં સામેલ કરવામાં આવી છે. રુદ્રમ-II નવીનતમ સંસ્કરણ છે. તેના પહેલાના વર્ઝન રુદ્રમ-1નું ચાર વર્ષ પહેલા ફાઈટર જેટ સુખોઈ-30MKI દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રુદ્રમ-2 શ્રેષ્ઠ મિસાઈલોમાંથી એક છે. ભારત પાસે હાલમાં રશિયન એન્ટી રેડિયેશન મિસાઈલ Kh-31 છે.