THE INDIAN SOCIOLOGIST

નવસારી જિલ્લામાં વરસાદી પુરના પાણી ઓસર્યા બાદની પરિસ્થિતિ તથા જિલ્લા વહીવટી તંત્રની કામગીરીથી મિડિયા પ્રતિનિધિઓને અવગત કરતા જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે


નવસારી જિલ્લામાં વરસાદી પુરના પાણી ઓસર્યા બાદની પરિસ્થિતિ તથા જિલ્લા વહીવટી તંત્રની કામગીરીથી મિડિયા પ્રતિનિધિઓને અવગત કરતા જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે

 નવસારી જિલ્લામાં તા.૨૬ જૂલાઈના રોજ કુલ ૩૭૦૦ થી વધુ લોકોને આશ્રયસ્થાનોમાં સલામત રીતે સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા 

 જિલ્લા વહીવટીતંત્રની પ્રાથમિકતા પ્રભાવિત વિસ્તારોની સફાઈ અને સ્વાસ્થ્યની છે- જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી જિલ્લામાં તથા ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ૨૬ જુલાઈના રોજ પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને નવસારી શહેર, ગ્રામ્ય તથા જલાલપોર તાલુકાના અમુક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા નિર્માણ પામેલ હતી. હાલ નવસારી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઉતરતા નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં નવસારી જિલ્લા તંત્ર પ્રોએક્ટીવ રહી સફાઈ અને સ્વાસ્થ્યની કામગીરીઓ પૂરજોશમાં કરી રહ્યુ છે. નાગરિકોને આ સંદર્ભે સચોટ માહિતી મળી રહે તે માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, જૂના થાણા ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ આજે બપોરે મિડિયા પ્રતિનિધીઓને જરૂરી માહિતીથી અવગત કર્યા હતા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના જણાવ્યા અનુસાર, જીલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રની મુખ્ય પ્રાથમિકતા સફાઈ તથા આરોગ્યલક્ષી કામગીરીની છે. 

જેના ભાગરૂપે નવસારી જીલ્લામાં રીજ્યોનલ મ્યુનીસીપલ કમિશ્નર, સુરત મહાનગરપાલિકા તથા નગરપાલિકાના ૩૯૬ સફાઈ કર્મચારીઓ, ૦૫ જે .સી.બી. તથા ૩૦ જેટલા વ્હીકલ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફસફાઈની કામગીરીમાં જોડાયેલ છે અને જ્યાં સુધી સંપૂર્ણ સફાઈ ન થાય ત્યાર સુધી આ ટીમોની સાફ સફાઈની કામગીરી કાર્યરત રહેશે. સાથે નાગરિકોના આરોગ્યની તકેદારીના ભાગરૂપે ૯૮ જેટલી નાની મોટી ટીમો તથા ૧૭ મોબાઈલ હેલ્થ યુનિટ (MHU) અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી જોડાયેલ છે. વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ૪ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની સાથે અનાજના ગોડાઉન તથા કરીયાણાની દુકાનો ચકાસવાની કામગીરી શરૂ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે. 

જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મીડિયા પ્રતિનિધિઓને સંબોધિત કરતા વધુમાં જણાવ્યું કે ૨૬ જુલાઈ ૨૦૨૪ના રોજ નવસારી જીલ્લામાં એન.ડી.આર.એફ, ફાયર વિભાગ, ગ્રામ પંચાયત તથા ગણદેવીના સ્થાનિક તરવૈયાઓના સહયોગથી ૩૭૦૦ જેટલા લોકોનું સ્થળાંતર આશ્રયસ્થાનમાં સલામત રીતે કરવામાં આવેલ હતું જે હાલ આજે પાણી ઓસરતા પોતપોતના નિવાસસ્થાને પરત થયેલ છે. આજનાં મીડિયા સંબોધનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, નવસારી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે નવસારીના મીડિયાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા .
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST