ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે ગાંધીધામમાં સુપ્રસિદ્ધ માલારા મહાદેવ મંદિરે દર્શન કર્યા
માલારા મહાદેવ સમક્ષ લોકકલ્યાણ માટે પ્રાર્થના કરતા ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત કચ્છ જિલ્લાના પ્રવાસે છે. આજરોજ મંત્રીશ્રીએ ગાંધીધામ ખાતેના સુપ્રસિદ્ધ માલારા મહાદેવના દર્શન કરીને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ દર્શનવેળાએ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી તેજસ શેઠ, અગ્રણીશ્રી ધવલ આચાર્ય સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.