આશાપુરા પદયાત્રી માટેનો કામધેનું પાર્ટી પ્લોટ પાસે જય માં આશાપુરા પદયાત્રી સેવા-કેમ્પ નું આયોજન કરાયું
નવરાત્રી નિમિત્તે કચ્છ કુળદેવી આઈ શ્રી આશાપુરા ના દર્શને જતા પદયાત્રીઓ માટે મોરબી બાયપાસ રોડ પર કાધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં જય માં આશાપુરા સેવા કેમ્પનું આયોજન કરાયું છે.
આ કેમ્પમાં પદયાત્રીઓ માટે મેડીકલને લગતી તમામ સુવિધા,અલ્પાહાર સાથે ચા-પાણીની સગવડ,રાત્રી રોકાણની સુવિધા,પદયાત્રીને સ્નાનકાર્ય માટે યોગ્ય વ્યવ્સ્થા,અત્યાધુનિક મસાજ,કસરતના સાધનો સાથે અનુભવી મેડીકલ ટીમ દ્વારા તમામ પ્રકારની સેવા ત્થા આગળ જતા પદયાત્રીને રસ્તામાં તકલીફ નો પડે તે માટેની જરૂરીયાત મુજબની વસ્તુઓની સેવા જેવી અનેક પ્રકારની સેવા આપવામાં આવશે...
તો પદયાત્રીઓને સેવાનો લાભ આપવા અને જનતાજનાર્દનને આ સેવા-યજ્ઞમાં સ્વંયંભુ જોડાવવા જય માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ સમીતીનું આહ્યવાન કરાયું છે.