11 મી જાન્યુઆરી ને શનિવારના રોજ માંડવી માં કચ્છ જિલ્લા ની ત્રણ સંસ્થાઓના ઉપક્રમે સાગર વાડી મધ્યે "દિવ્યાંગોત્સવ" ઉલ્લાસભેર ઉજવાશે.
શનિવારે કચ્છ ના 250 થી વધારે સંખ્યામાં "દિવ્યાંગોત્સવ" માણવા માંડવી આવશે.
સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર પોતાનો "જન્મદિવસ" કચ્છના દિવ્યાંગો સાથે ઉજવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડશે.
DISABLED STUDENTS : માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ,શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા અને અંધજન મંડળ કે .સી.આર.સી. ભુજ એમ કચ્છ જિલ્લાની ત્રણ સંસ્થાઓના ઉપક્રમે, માંડવીના નવાપરા વિસ્તારમાં આવેલી સાગર વાડી મધ્યે તા. 11/ 1ને શનિવારના રોજ સવારના 9:30 થી 12:00 વાગ્યા દરમિયાન યોજાનારા "દિવ્યાંગોત્સવ" માં સમગ્ર કચ્છ જિલ્લાના 250 થી વધારે દિવ્યાંગ ભાઈ- બહેનો ભાગ લેશે.
DISABLED STUDENTS : ગંગા સ્વરૂપ મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર પરિવાર - માંડવી( હસ્તે: સોની ભરતભાઈ પુરષોત્તમ થલેશ્વર) માંડવી ના સૌજન્યથી તા. 11 /1 અને શનિવારના સવારના 9:30 થી 12:00 વાગ્યા દરમિયાન પ્રોજેક્ટ ચેરમેન સુલતાનભાઇ મીરના માર્ગદર્શન હેઠળ, કચ્છના દિવ્યાંગ ભાઈ - બહેનો આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં" સંગીત"નો ભવ્ય કાર્યક્રમ રજૂ કરનાર હોવાનું ત્રણે સંસ્થા ના અગ્રણીઓ શાંતિલાલભાઈ ગણાત્રા, દિનેશભાઈ શાહ, અરવિંદભાઈ જોશી, ચંદ્રકાંતભાઈ મોતા, અરવિંદસિંહ ગોહિલ અને પચાણભાઈ ગઢવી એ જણાવ્યું હતું.
માંડવીના સોની ભરતભાઈ પુરષોત્તમ થલેશ્વર પોતાનો જન્મદિવસ કચ્છ જિલ્લાના દિવ્યાંગો સાથે ઉજવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડનાર હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
DISABLED STUDENTS : તા. 11 /1 ને શનિવારના સવારના 9:30 થી 12:00 વાગ્યા દરમિયાન માંડવીની સાગર વાડી (નવાપુરા) મધ્યે કચ્છના દિવ્યાંગો "સંગીત"નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રજૂ કરશે. સાંજે 5:00 થી 7:00વાગ્યા દરમિયાન "સુંદર કાંડ"નો પાઠ થશે. જ્યારે રાત્રે 8:00 થી 10:00 વાગ્યા દરમિયાન "સંગીત સંધ્યા" રજૂ થનાર હોવાનું કાર્યક્રમના આયોજક માંડવીના સોની ભરતભાઈ પુરષોત્તમ થલેશ્વરે જણાવ્યું હતું