GIRNAR : માંડવી નિવાસી જીતુભાઈ ડગાળાવાલા એ ગિરનારની 99 યાત્રા માત્ર 33 દિવસમાં નિર્વિગ્ને સંપન્ન કરી.
GIRNAR : આજે શુક્રવારે સાંજે 4 વાગે સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં માંડવી માં માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાલા પરિવાર દ્વારા સકલ સંઘની ઉપસ્થિતિમાં આઝાદચોક થી ભવ્ય સામૈયું નીકળશે.
GIRNAR : માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા પરિવારના કુળદીપક જીતેનભાઈ (જીતુભાઈ) દેવગુરુ ની કૃપાથી ગિરનારની 99 યાત્રા માત્ર 33 દિવસમાં નિર્વિઘ્ન પણે ગઈકાલે તા. ૦૨/૦૧/૨૦૨૫ ને ગુરુવારના સંપન્ન કરીને આજે તા. ૦૩/૦૧ ને શુક્રવારના માંડવી નગરે પધારી રહ્યા છે.
GIRNAR : પરમ પૂજ્ય પૂર્ણગુણાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય જ્ઞાનેશગુણાશ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય હિતાશગુણાશ્રીજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં આજે તા. ૦૩/૦૧ ને શુક્રવારના સાંજના ચાર વાગે આઝાદ ચોક થી સકલ સંઘની ઉપસ્થિતિમાં ભવ્ય સામૈયું નીકળશે. આ સામૈયામાં સકલ સંઘને ઉપસ્થિત રહેવા માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાલા પરિવાર-માંડવી તરફથી નિમંત્રણ પાઠવવામાં આવેલ હોવાનું દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું છે.
GIRNAR : આજે શુક્રવારે સાંજે ચાર વાગે આઝાદ ચોક થી સામૈયુ પ્રસ્થાન થઈ કે.ટી. શાહ રોડ થઈ શીતલ પાર્શ્વનાથ જિનાલયે પહોંચશે ત્યાં સાધ્વીજી ભગવંતો માંગલિક શ્રવણ કરાવશે.
આ પણ વાંચો : BREAKING : માંડવી પિયાવા નજીક અકસ્માત બે યુવાનોના મોત
INDIAN SOCIOLOGIST