THE INDIAN SOCIOLOGIST

GIRNAR : જીતુભાઈ ડગાળાવાલા એ ગિરનારની 99 યાત્રા માત્ર 33 દિવસમાં નિર્વિગ્ને સંપન્ન કરી.

GIRNAR : માંડવી નિવાસી જીતુભાઈ ડગાળાવાલા એ ગિરનારની 99 યાત્રા માત્ર 33 દિવસમાં નિર્વિગ્ને સંપન્ન કરી.


GIRNAR : આજે શુક્રવારે સાંજે 4 વાગે સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં માંડવી માં માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાલા પરિવાર દ્વારા સકલ સંઘની ઉપસ્થિતિમાં આઝાદચોક થી ભવ્ય સામૈયું નીકળશે.

GIRNAR : માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા પરિવારના કુળદીપક જીતેનભાઈ (જીતુભાઈ) દેવગુરુ ની કૃપાથી ગિરનારની 99 યાત્રા માત્ર 33 દિવસમાં નિર્વિઘ્ન પણે ગઈકાલે તા. ૦૨/૦૧/૨૦૨૫ ને ગુરુવારના સંપન્ન કરીને આજે તા. ૦૩/૦૧ ને શુક્રવારના માંડવી નગરે પધારી રહ્યા છે.

GIRNAR : પરમ પૂજ્ય પૂર્ણગુણાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય જ્ઞાનેશગુણાશ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય હિતાશગુણાશ્રીજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં આજે તા. ૦૩/૦૧ ને શુક્રવારના સાંજના ચાર વાગે આઝાદ ચોક થી સકલ સંઘની ઉપસ્થિતિમાં ભવ્ય સામૈયું નીકળશે. આ સામૈયામાં સકલ સંઘને ઉપસ્થિત રહેવા માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાલા પરિવાર-માંડવી તરફથી નિમંત્રણ પાઠવવામાં આવેલ હોવાનું દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું છે.

GIRNAR : આજે શુક્રવારે સાંજે ચાર વાગે આઝાદ ચોક થી સામૈયુ પ્રસ્થાન થઈ કે.ટી. શાહ રોડ થઈ શીતલ પાર્શ્વનાથ જિનાલયે પહોંચશે ત્યાં સાધ્વીજી ભગવંતો માંગલિક શ્રવણ કરાવશે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST