THE INDIAN SOCIOLOGIST

MANDVI-KUTCH : જીતુભાઈનું સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આઝાદ ચોક થી ભવ્યાતિભવ્ય સામૈયું નીકળ્યું

MANDVI-KUTCH : માંડવી નિવાસી જીતુભાઈ ડગાળા વાલા એ" ગિરનાર તીર્થ"ની 99 યાત્રા માત્ર 33 દિવસમાં નિર્વિઘ્ને સંપન્ન કરી.

કઠિન યાત્રા કરીને માંડવી પધારતા જીતુભાઈનું સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આઝાદ ચોક થી ભવ્યાતિભવ્ય સામૈયું નીકળ્યું. આ સામૈયામાં માંડવીના પાંચે ગચ્છના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા.

MANDVI-KUTCH : માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા પરિવારના કુળદીપક જીતુભાઈ (જીતેનભાઈ) દેવગુરુ ની કૃપાથી, ગિરનાર મંડન શ્રી નેમનાથ દાદા ની છત્રછાયામાં,ગિરનાર તીર્થની 99 યાત્રા માત્ર 33 દિવસમાં નિર્વિઘ્ને સંપન્ન કરી હતી.

MANDVI-KUTCH : કઠિન યાત્રા કરીને માંડવી પધારતા જીતુભાઈ મહેતા (ડગાળાવાલા ) નું સાધ્વીજી ભગવંતો પરમ પૂજ્ય પૂર્ણ ગુણાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય જ્ઞાનેશગુણાશ્રીજી મહારાજ સાહેબઅને પરમ પૂજ્ય હિતાંશગુણાશ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં માંડવીના આઝાદ ચોક થી નીકળેલા ભવ્યાતિભવ્ય સામૈયામાં માંડવીના પાંચે ગચ્છોના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

MANDVI-KUTCH : શ્રી ઉપનગર જૈન સંઘ મહેસાણા સંચાલિત શ્રીમતી અરુણાબેન ચેતનકુમાર વીરચંદભાઈ શાહ પરિવાર (વિઠલાપુર વાળા )આયોજિત ગિરનાર મહાતીર્થની 99 યાત્રાનો શુભારંભ તા.1/ 12/20 24 ને રવિવારના સવારના 5:00 વાગ્યે જય તળેટી ખાતે સમૂહ ચૈત્ય વંદન કરી,વાજતે - ગાજતે પ્રથમ યાત્રાનો શુભારંભ કરવામાં આવેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહ (મહેતા) એ જણાવ્યું હતું.

MANDVI-KUTCH : તા. 3 /1 ને શુક્રવારના માંડવીના આઝાદ ચોક થી પ્રસ્થાન થયેલ જીતુભાઈ ડગાળા વાળા ના સામૈયામાં" જય જય શ્રી નેમનાથ, યાત્રા કરાવે નેમનાથ "અને "તપસ્વી નો જયજયકાર" જેવા ધાર્મિક નારાથી વાતાવરણ ધર્મમય બની ગયું હોવાનું ડગાળા પરિવારના ભરતભાઈ, વિરલભાઈ અને સંજયભાઈ ડગાળાવાલા એ જણાવ્યું હતું.

ઢોલ -શરણાઈ ના નાદ સાથે નીકળેલા આ સામૈયાએ નગરજનો માં સારું એવું આકર્ષણ જગાડેલ હતું.

MANDVI-KUTCH : આ સામૈયું આઝાદ ચોક થી પ્રસ્થાન થઈ,ભીડ બજાર અને કે .ટી.શાહ રોડ થઈ શીતલ-પાશ્વ જિનાલયે પહોંચ્યું હતું.ત્યાં આરાધના ભવનમાં સાધ્વીજી ભગવંતોએ ગિરનાર મહાતીર્થ નો મહિમા સમજાવી,દાદા ના પ્રત્યક્ષ પરચા વર્ણવ્યા હતા.

MANDVI-KUTCH : તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, જીતુભાઈ ડગાળા વાલા ની અનુમોદના કરી,આજના દિવસને સોનાનો ગણાવ્યો હતો. આરાધના ભવનમાં તપગચ્છ જૈન સંઘ, વાગડ સાત ચોવીસી યુવક મંડળ, બાબાવાડી જૈન સંઘ, જીતુભાઈ ના કલ્યાણ મિત્ર જયેશભાઈ જી. શાહ,જીતુભાઈના કુટુંબીજનો, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, નગરસેવક પારસ ભાઈ સંઘવી સહિત બહોળી સંખ્યામાં ભાવિકોએ જીતુભાઈ મહેતા ડગાળાવાલા નું સન્માન કરેલ હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જીતુભાઈ ડગાળા વાલા નો જન્મદિવસ 22મી ડિસેમ્બરના હતો. જન્મદિવસ તેમણે યાત્રા કરીને ઉજવ્યો હતો. ગિરનાર મહાતીર્થ ની 99 યાત્રામાં કુલ 350 આરાધકો જોડાયા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST