THE INDIAN SOCIOLOGIST

Natural farming : સાફલ્ય ગાથા

Natural farming : સાફલ્ય ગાથા


Natural farming : રાસાયણિક ખેતીના કારણે આર્થિક બોજ સહન કરતા કચ્છના દયાપરના ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી

Natural farming : પ્રાકૃતિક ખેતીની શરૂઆતથી જ જમીન ફળદ્રુપ બનવા સાથે પાકની ગુણવત્તા સુધરી, પિયતની જરૂરિયાત ઓછી થવા સાથે નિંદામણ ઘટ્યું

Natural farming : રાસાયણિક ખેતીમાં જમીનની ગુણવત્તા બગડવા સાથે ખાતર અને જતુંનાશક દવાના સતત વધતા જતાં ખર્ચના કારણે ભારે આર્થિક બોજ વેઠતા લખપત તાલુકાના દયાપરના ખેડૂત ભવાનજી મેઘજી લીંબાણીએ આખરે વૈકલ્પિક ખેતી કરવાનો નિર્ધાર કરીને આત્મા યોજના અંતર્ગત તાલીમ અને માર્ગદર્શન મેળવીને વર્ષ ૨૦૧૫થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી. આજે તેઓ વર્ષભર ઋતુઓ અનુસાર દાડમ, ખારેક તથા અન્ય શાકભાજી વગેરે પાકનું ઉત્પાદન મેળવે છે.

Natural farming : પ્રાકૃતિક ખેતી કરતા ભવાનજીભાઇ લીંબાણી જણાવે છે કે, રાસાયણિક ખેતીના કારણે મારી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું હતું, પિયતની જરૂરિયાત વધવા સાથે નિંદણ પણ વધારે ઊગી નીકળતું હતું. આટલું ઓછું હોય તેમ, વર્ષે વર્ષે પાકની ગુણવત્તા નબળી થતી જતી હતી. બીજી તરફ દવા અને ખાતરનો ખર્ચનો બોજ વધતો જતો હતો. મહેનત કરવા છતાં નફો નામ માત્રનો મળતો હતો. જેથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો. જેમાં વિધિસર તાલીમ મેળવીને પ્રાકૃતિક ખેતી શરૂ કરી આજે સિઝન મુજબ બાગાયતી પાકમાં ખારેક, દાડમ તથા અન્ય શાકભાજી જેવા પાક વર્ષભર લઇ રહ્યો છું. જો પ્રાકૃતિક ખેતી શરૂ કરી તેના ફાયદા જણાવું તો, વર્તમાન સમયમાં મારી જમીન ફળદ્રુપ બનવા સાથે તેમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે. પાકની ગુણવત્તા વધવા સાથે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ મોટા પ્રમાણમાં થવાથી ખેડૂતો ગાયનું જતન કરતાં શીખ્યા છે. જે ખેડૂતોના કુટુંબ માટે પણ આશીર્વાદરૂપ છે.

-જિજ્ઞા વરસાણી


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST