સહકારીતામાં યુવા શકિતને ખીલવાની સુંદર તક યુવાનો સહકારી ચળવળમા આગળ આવે –દિલીપ સંઘાણી
YUVA SHAKTI : રાજય સહકારી સંઘ દ્રારા અમદાવાદ ખાતે વિકસિત ભારત યુવા સેમિનાર યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વતળેની ભારતીય જનતા પક્ષની સરકાર એ સહકારીતાને અગ્રતા આપવાના ઉદ્દેશ સાથે સહકાર મંત્રાલયની રચના કરી છે જેના દૂરંદેશી પરિણાંમો સહકારના માધ્યમથી દેશ-દૂનિયા નિહાળી રહી છે હવે આ ક્ષેત્રને નવી યુવા ઉર્જા શકિતની જરૂર છે અને તેથી જ સહકારી પ્રવૃતિઓમા યુવા શકિત આગળ આવે તેમ અમદાવાદ ખાતે ગુજરાત રાજય સહકારી સંઘ આયોજીત સહકારી ક્ષેત્રમા યુવા ભાગીદારી સેમિનારને સંબોધતા એન.સી.યુ.આઈ–ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ.
YUVA SHAKTI : વિશાળ સંખ્યામા ઉપસ્થિત યુવા શકિત સમક્ષ સંઘાણીએ વધુમા જણાવેલ કે, સહકારના માધ્યમ થી વિશ્વશાંતિ અને રકતહિન ક્રાંતિ સહકારથી જ શક્ય હોવાનું જણાવી પ્રધાનમંત્રી "આત્મનિર્ભર ભારત' અને 'સહકાર થી સમૃધ્ધિ' ના સંકલ્પો જનજન સુધી પહોચાડવા, સહકારી યોજનાઓ અને આયોજનોમા નવું ચૈતન્ય પુરૂ પાડવા યુવાનોને આગળ ઘપવા આહ્વાન કરેલ જેને ઉપસ્થિત યુવાનોએ હર્ષભેર વધાવી હતી.
YUVA SHAKTI : તદ્ઉપરાંત સહકારી પ્રવૃતિના સંકલ્પોની સફળતામા રહેલ વિશિષ્ટ સહકારી મંડળીઓની કામગીરીના દ્રષ્ટાંત પુરા પાડયા હતા. આ તકે સહકારી અગ્રણીઓ, પદાધિકાશ્રીઓ અને વિશાળ સંખ્યામા યુવાનો ઉપસ્થિત રહી સેમિનારમા ભાગ લીધો હતો તેમ યાદીમાં જણાવાયેલ છે.