KUTCH : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશી એ પોતાના પૌત્ર "પરમ"ના લગ્નની ખુશીમાં ગોધરા માં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને દાતાના સૌજન્ય થી 11 સિલાઈ મશીન નું લોકાર્પણ કરીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂ પાડ્યું.
માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા નજરે પડે છે તેમની બાજુમાં કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશી,તેમના પૌત્ર "પરમ" વગેરે ઉભેલા નજરે પડે છે.
KUTCH : આ પ્રસંગે સાધ્વીજી ભગવંત જૈનમ ગુણાશ્રીજી અને શાશ્વત ગુણાશ્રીજી એ માંગલિક શ્રવણ કરાવી ને જણાવ્યું હતું કે,જે બીજા ની ચિંતા કરે છે તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી.તેમણે અરવિંદભાઈ જોશીની અનુમોદના કરી હતી.
KUTCH : માંડવીના મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ વિનોદભાઈ ગોકલાણી ના પ્રમુખ પદે યોજાયેલા સમારોહ માં દાતાશ્રી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે :- નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી, મૂળ માંડવી ના હાલે મસ્કત- ઓમાન) તરફથી માંડવી અને મુન્દ્રા તાલુકાના જરૂરતમંદ 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા હતા.
માંડવી ના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી એ દીપ પ્રગટાવી ને કાર્યક્રમ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, 26 વર્ષથી કાર્યરત શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ - ગોધરા ના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી, મસ્કત, અમેરિકા અને મુંબઈ ના વતન પ્રેમી દાતાશ્રીઓ પાસેથી કરોડો રૂપિયાનું દાન મેળવીને ખૂબ જ ઉત્તમ કાર્ય કરેલ છે.
અતિથિ વિશેષ પદે થી માંડવી ની જૈન નૂતન પંચાયતી પ્રાથમિક શાળાના આચાર્ય પદેથી 11 વર્ષ થી નિવૃત્ત છતાં પણ સતત પ્રવૃત, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું કે અરવિંદભાઈ જોશી એ પૌત્ર ના લગ્નની ખુશીમાં ગોધરા માં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને 11 સિલાઈ મશીન ના લોકાર્પણ નો કાર્યક્રમ ગોઠવી ને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂ પાડેલ છે. તેમણે નવદંપતીને આશીર્વાદ પાઠવી, અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા.
KUTCH : માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, માંડવી ના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા,દિનેશભાઈ છેડા ( કુંદરોડી), દિનેશભાઈ નાગુ (મુંબઈ ), સુનિલભાઈ સોની (માંડવી),ધ્રબુડી તીર્થ ના પ્રમુખ અરવિંદભાઈ ગોર,કે.સી.આર.સી. ભુજ ના અરવિંદસિંહ ગોહિલ, કવિ રવિભાઈ પેથાણી 'તિમીર' વગેરે એ પણ અરવિંદભાઈ જોશી ની સેવાકીય પ્રવૃત્તિ ની સરાહના કરી ને,નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે અરવિંદભાઈ જોશી તરફથી યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ નો કુલ 226 લોકોએ લાભ લીધો હતો. જે પૈકી આંખના 136 દર્દીઓ પૈકી 126 વ્યક્તિઓને ચશ્મા નિઃશુલ્ક અપાયા હતા. આંખના ઓપરેશન લાયક 47 દર્દીઓને મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે. 83 લોકોને હોમિયોપેથિક દવા નિઃશુલ્ક અપાઈ હોવાનું નિલેશભાઈ અરવિંદભાઈ જોશી એ જણાવ્યું હતું.
KUTCH : મેડિકલ કેમ્પમાં અરવિંદભાઈ જોશીની સુપુત્રી ડૉ.ભાવિકાબેન ગોર ( કેનેડા ), ડૉ .મનોજભાઈ માકાણી અને તેમની ટીમ, કે.સી. આર.સી.- અંધ જન મંડળ, ભુજ ના અરવિંદસિંહ ગોહિલ ની ટીમ, ડૉ.વિધી શુક્લા અને ડૉ .પાસવાન સાહેબ ની ટીમ, ડૉ .ભક્તિ ગોર અને ડોક્ટર ભાવિ ગોર એ પોતાની સેવા આપી હતી.
આ પ્રસંગે માંડવી ના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી નું સન્માન અરવિંદભાઈ જોશી ના હસ્તે અને અરવિંદભાઈ જોશી નુ સન્માન માંડવી ના ચિંતનભાઈ સોની ના હસ્તે થયું હતું.
KUTCH : આ પ્રસંગે રાજુભાઈ પલણ (નખત્રાણા), ગોધરા હાઈસ્કૂલના આચાર્ય વિજેશ ભાઈ પટેલ,ગોધરા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, સલીમભાઈ ચાકી,ચંદ્રકાંતભાઈ મોતા,ગોધરા જૈન મહાજનના પ્રમુખ ધીરેનભાઈ ગાલા, શૈલેષભાઈ મિઠાવાલા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન કચ્છી સાહિત્યકાર શ્રી લાયજા ના વિશ્રામભાઈ ગઢવી એ કરેલ હતું. જ્યારે વ્યસનમુક્તિ અભિયાન ના પ્રણેતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન ના ઉપપ્રમુખ અને માંડવી ના જૈન અગ્રણી જયેશભાઈ જી.શાહે આભાર દર્શન કરેલ હતું.
INDIAN SOCIOLOGIST