THE INDIAN SOCIOLOGIST

NAVCHETAN : જૈન સેવા સંસ્થા નવચેતનના અગ્રણીની લગ્ન વર્ષગાંઠની ઉજવણી થેલેસેમિયાના દર્દીઓ સાથે કરાઈ

NAVCHETAN : જૈન સેવા સંસ્થા નવચેતનના અગ્રણીની લગ્ન વર્ષગાંઠની ઉજવણી થેલેસેમિયાના દર્દીઓ સાથે કરાઈ



જૈન સેવા સંસ્થા નવચેતનના મોવડી ની 53 મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે જનરલ હોસ્પિટલ ભુજમાં સારવાર લેતા થેલેસેમિયાના દર્દીઓને પ્રોત્સાહિત કરતા શ્રી વિજી મહેતા ભારતીબેન મહેતા ડોક્ટર મોહિનીબેન દાત્રાણીયા તથા સાથે કાર્યકરો વગેરે સાથે વી જી મહેતા

146 દર્દીઓને પ્રોત્સાહિત કરાયા

NAVCHETAN : જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના સ્થાપક મોવડી અને સેવાના ભેખધારી શ્રી વીજી મહેતા તથા ભારતીબેન વી મહેતા ની 53મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે તેમના પરિવારજનોના સહયોગથી સંસ્થાના ઉપક્રમે થેલેસેમિયાના દર્દીઓ સાથે આગવી ઉજવણી કરવામાં આવી હતી

NAVCHETAN : છેલ્લા 15 વર્ષથી સ્વ ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત આ સંસ્થાના સ્થાપક અને મોભી શ્રી વીજી મહેતા અને ભારતીબેન વી મહેતા દાંપત્ય જીવનના 53 વર્ષ પૂર્ણ કરી 54 માં વર્ષમાં પ્રવેશ કરતા તેની ખુશાલીમાં માતા ચોથીબેન ગણેશભાઈ મહેતા પરિવાર લોદરાણી ભુજના સહયોગથી જનરલ હોસ્પિટલ ભુજમાં સારવાર લેતા 146 જેટલા થેલેસેમિયાના દર્દીઓ સાથે આગવી ઉજવણી કરવામાં આવી હતી

શુભારંભે મંત્રાધીરાજ નવકાર મહામંત્રના જાપ સાથે તમામ જીવ રાશિની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી બાદમાં સારવાર લેતા થેલેસેમિયાના દર્દીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને દરેકને ગુલાબનું બુકે અર્પણ કરી તેમનું અભિવાદન કરાયું હતું અને તેમનામાં ઉત્સાહ અને ઊર્જાનો સંચાર કરી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવા તેમની સાથે તળપદી ભાષામાં વાર્તાલાપ કરાયો હતો અને તેઓ જલ્દી સાજા થઈ જાય અને તેમનું જીવન ગુલાબના પુષ્પની જેમ સદાય ખુશ્બુ ફેલાવતો રહે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી. ત્યારે બાળ દર્દીઓ ખૂબ જ રોમાંચિત થયા હતા

NAVCHETAN : આગળના ચરણમાં સારવાર લઈ રહેલા તમામ થેલેસેમિયાના દર્દીઓને વોટરબેગ નવા વસ્ત્રો એપલ સંતરા ડ્રાયફ્રુટ ચોકલેટ આદિની સોગાત આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં સારવાર લેવા આવનાર દર્દીઓ માટે 108 વોટરબેગ સંસ્થાના મોવડીઓ દ્વારા હોસ્પિટલના મેનેજમેન્ટ અધિકારીને અર્પણ કરવામાં આવી હતી જેનું વિતરણ પૂર્ણ થઈ વધારાની વોટરબેગ પૂરી પાડવાની સંસ્થા વતી ઘોષણા કરાઈ હતી

NAVCHETAN : આ અવસરે સંસ્થાના કાર્યકરો પ્રદીપભાઈ દોશી, રસીલાબેન દો શી, શાંતિલાલ મોતા, મીનાક્ષીબેન મોતા, ડોક્ટર મોહિનીબેન દાત્રાણીયા વિજય મહેતા પ્રગતિ મહેતા ઓજસ શેઠ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળી હતી પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ હિરેનભાઈ દોશી જયેશ ચંદુરા વિનોદ દોશી કેબી પરમાર ડોક્ટર રૂપાલીબેન મોરબીયા સી સી જોશી સુરેશ સોમૈયા વિગેરે ખાસ શુભેચ્છા પાઠવી હતી અને લગ્ન તિથિ ની દર્દીઓ સાથે ઉજવણી કરી પ્રેરણાદાય સેવા કાર્ય કરવા બદલ ભારતીબેન મહેતા તથા વિજી મહેતાને અભિનંદન આપ્યા હતા રેખા બહેન પટેલ તથા હોસ્પિટલ સ્ટાફ સહયોગી રહ્યા હતા તેવું પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ અને હિરેન દોશી એ જણાવ્યું હતું




Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST