BOJAY : આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના નરેશમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા -2 અને અર્ચનાબાઈ મહાસતી આદિ ઠાણા- 4 નું આગામી ચાતુર્માસ માંડવી તાલુકાના ભોજાય ગામે જાહેર થયું.
BOJAY : શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના નરેશ મુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા -2 અને અર્ચનાબાઈ મહાસતી આદિ ઠાણા -4 નું આગામી વર્ષનું ચાતુર્માસ માંડવી તાલુકાના ભોજાય ગામે જાહેર થયું છે.
BOJAY : પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબના "દીક્ષા સુવર્ણ વર્ષ "નિમિત્તે,ભોજાય સંઘની આગ્રહ ભરી વિનંતી અને ગુરુદેવોના આશીર્વાદથી ભોજાય સંઘના ભાગ્યોદયે પરમ પૂજ્ય નરેશમુનિ,પરમ પૂજ્ય ઓજસ મુનિ, તેમજ સાધ્વીરત્ના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી ,પરમ પૂજ્ય પરિતાબાઇ મહાસતી, પરમ પૂજ્ય દર્શિતાબાઈ મહાસતી અને પરમ પૂજ્ય અક્ષિતાબાઇ મહાસતી નું ભોજાય સંઘને ચાતુર્માસ પ્રાપ્ત થયેલ હોવાનું પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડૉ.દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી.શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.