THE INDIAN SOCIOLOGIST

તેર મહિના સુધી એકાંતર ઉપવાસથી વર્ષીતપ કરનાર યુગલ તપસ્વીનું સન્માન

 તેર મહિના સુધી એકાંતર ઉપવાસથી વર્ષીતપ કરનાર યુગલ તપસ્વીનું સન્માન


પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવશ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તી પૂ. શ્રી હંસાબાઈ મહાસતીજી ના આશીર્વાદથી તેર મહિના સુધી એકાંતર ઉપવાસથી વર્ષીતપ કરનાર યુગલ તપસ્વી શ્રીમતિ કૃતિબેન મિહિરભાઈ સાવલાનું (સજોડે) શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘના આંગણે પૂજય શ્રી વિવેકચંદુજી સ્વામી, શ્રી ગૌતમચંદ્રજી સ્વામી, શ્રી અરિહંતચંદ્રજી સ્વામી, આદિ સંત-સતીજીઓની નિશ્રામાં સન્માન કરાયું હતું.

તપ અભિવાદનમાં શાસનદેવી(નેહા સંઘવી), ઈન્દુ-ઈન્દ્રાણી શ્રીમતિ શ્રુતિ કેવલ સંઘવી, દેવ-દેવી (અક્ષય–પ્રિન્સી સંઘવી), જગડુ શાહ શેઠશેઠાણી (નીપા શાહ, જીગર પટવા) વિ.એ. શબ્દ સુમનથી વધાવ્યા હતા. સંઘપ્રમખશ્રી પુનિતભાઈ ભાછા,વિગેરે પદાધિકારીઓએ સન્માનપત્ર અર્પણ કર્યુ હતુ અને આદિપ્રભુના આ અનુકરણ તપની અનુમોદના કરી હતી.

માસી મારાજ શ્રી હંસાબાઈ મહાસતીજીના આશીર્વાદથી જ અમે આ વર્ષીતપ કરી શકયા છીએ એવું કહીને યુગલ દંપતિએ પાદપ્રક્ષાલન કરી ઉપકાર વંદના કરીને પૂજય મહારાજ સાહેબ અને મહાસતીજી ને કામળી અર્પણ કરી હતી. તેમજ છ કોટિ સંઘનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે શ્રી અર્પિતાજી મહારાજ સાહેબ એ સાંસારિક વ્યવહાર ચલાવીને વિધિ સહિત વર્ષીતપ કરનાર આ તપસ્વી તથા ચિ. સમકીતે (પાંચ વર્ષની ઉમરના આ બાળકે) રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હોઈ અભિનંદન આપ્યા હતા. તેમજ રસપાન નિમિતે બિરાજેલા પૂજય ગુરૂદેવો તથા શ્રી રચનાજી મહાસતીજી, શ્રી કોમલજી મહાસતીજીનો આભાર માન્યો હતો. પાંચેય ગચ્છના ભાવિકોએ સમુહ સામાયિક કરી હતી. શ્રીમતિ વર્ષાબેન બાબરીયાએ તપ અભિનંદનનું સ્તવન રજુ કર્યુ હતુ.

શ્રી છ કોટિ સંઘની વર્તમાન પદાધિકારી–ટ્રસ્ટીઓ શ્રી પુનિતભાઈ ભાછા, શ્રી પુનિતભાઈ શાહ, શ્રી જયેશભાઈ શાહ, શ્રી મહેશભાઈ મહેતા, શ્રી શીતલભાઈ સંઘવી, શ્રી નીતીનભાઈ ગાંધી, શ્રી અશ્વિનભાઈ મહેતા, શ્રી ચિંતનભાઈ મહેતા, શ્રી રાહુલભાઈ સંઘવી વિગેરેનું શ્રીમતી શોભાબેન યોગેશભાઈ પટવાએ વ્યકિતગત નવ સભ્યોને ૧૦–૧૦ ગ્રામની ચાંદીની લગડી આપી બહુમાન કરી વિશેષ રીતે સંઘ સેવામાં આગળ વધે એવી શુભેચ્છા આપી હતી.

કાર્યક્રમના અંતે રૂ।. ૧૦૦ ની પ્રભાવના તપસ્વીના સ્નેહીજનો તરફથી કરવામાં આવેલ હતી, પૂજય શ્રી વિમલચંદુજી સ્વામી, પૂજય શ્રી ડોકટર ચિંતનચંદુજી સ્વામીની દિક્ષાતીથી સ્મૃતિ વંદનાની તકતીનું તપસ્વીના હસ્તે અનાવરણ કરાયું હતું.

તેમજ શાસન સ્પર્શ કાર્યક્રમમાં ભાગ લેનાર ૪૩ કલાકારોને શ્રીમતી દર્શનાબેન કલ્પેશ સાવલા ઘાટકોપર ચિ. તીર્થના જન્મદિવસ નિમિતે બેડમીન્ટન સેટ, લલીતભાઈ વ્યાસ તરફથી પાણીની બોટલ અને માંડવીના ભાવિકો તરફથી રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હોવાનુ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST