THE INDIAN SOCIOLOGIST

સ્વ.દિપ દિનેશભાઈ શાહ ની પ્રથમ પુણ્યતિથિ જીવદયા- માનવસેવા- ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને ઉજવાશે.

 સ્વ.દિપ દિનેશભાઈ શાહ ની પ્રથમ પુણ્યતિથિ જીવદયા- માનવસેવા- ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને ઉજવાશે.


માંડવી માં શનિવારે સ્વ.દિપ દિનેશભાઈ શાહ નીપ્રથમ વાર્ષિક પુણ્યતિથિ જીવદયા- માનવસેવા- ધાર્મિક પ્રવૃત્તિઓ- મેડિકલ કેમ્પ અને પોસ્ટ ઓફિસ ને ઇલેક્ટ્રીક વોટર કુલર નું લોકાર્પણ કરીને ઉજવાશે.

           જિલ્લા પંચાયત સંચાલિત માંડવી ની જૈન નૂતન પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય દિનેશકુમાર મણીલાલ અને નિવૃત પૂર્વ શિક્ષિકા શ્રીમતી રંજનબેન દિનેશભાઈ શાહ ના 29 વર્ષના આશાસ્પદ અને સેવાભાવી સુપુત્ર સ્વ.દિપ શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ તા. 21/ 6 ને શનિવાર ના રોજ જીવ દયા- માનવસેવા-ધાર્મિક પ્રવૃત્તિઓ- મેડિકલ કેમ્પ અને માંડવી ની પોસ્ટ ઓફિસ ને ઇલેક્ટ્રીક વોટર કુલર નું લોકાર્પણ કરીને ઉજવાશે.

           શનિવારે માંડવી ના તપગચ્છ જૈન સંઘના શિતલ- પાશ્વૅ જિનાલય મા માંડવીના જૈન સમાજના પાંચે ગચ્છના બહેનોની ઉપસ્થિતિ માં શિતલ મંડળ અને ત્રિશલા મંડળની બહેનો પંચ કલ્યાણક ની પૂજા ભણાવશે. માંડવીના સાતે જૈન દહેરાસરો માં પ્રભુજી ની આંગી કરવામાં આવશે. જૈન આશ્રમ, વિકલાંગ કન્યા છાત્રાલય અને મૂકબધિર વિદ્યાલયના બાળકોને મિષ્ટાન આપવામાં આવશે. અબોલા જીવોને લીલાચારા નું નિરણ કરાશે તેમજ શ્વાનોને લાડવા અને રોટલા આપવામાં આવશે.

            માંડવી ના કિરણ ક્લિનિક માં ડાયાબિટીસ નો નિઃશુલ્ક કેમ્પ યોજાશે.તેમજ માંડવી ની પોસ્ટ ઓફિસ માં ઠંડા-ગરમ અને નોર્મલ પાણીનો ઈલેક્ટ્રીક વોટરકુલર નું લોકાર્પણ કરાશે.

           મૂડ ડગાળા (હાલે, માંડવી) નિવાસી માતૃશ્રી માનવંતીબેન મણીલાલ પાનાચંદ ના પૌત્ર સ્વ.દિપ દિનેશભાઈ શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ની ઉજવણી માંડવી ની જે સંસ્થાઓ ના માધ્યમથી કરવામાં આવશે તેમાં નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, જાયન્ટ્સ ગ્રુપ, માણિભદ્રવીર દાદા ગ્રુપ, એક પગલું,નવજીવન જીવ દયા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ,શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપ,જલારામ સેવા મંડળ, માતૃભૂમિ સેવા ટ્રસ્ટ, જલારામ નિઃશુલ્ક ટિફિન સમિતિ, ઇન્ટરનેશનલ લોહાણા મહિલા પાંખ નો સમાવેશ થતો હોવાનું દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

www.indiansociologist.in


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST