શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજ અને શ્રી ભુજ માકપટ જૈન પરિવાર ના સંયુક્ત ઉપક્રમે નિ શુલ્ક પરિસંવાદ અને તપાસ શિબિર
શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજ અને શ્રી ભુજ માકપટ જૈન પરિવાર ના સંયુક્ત ઉપક્રમે કે.ડી.હોસ્પિટલ અમદાવાદના સહકારથી ખેંચ/વાઈ/આચકા ની બીમારી ધરાવતા દર્દીઓ માટે નિ શુલ્ક પરિસંવાદ અને તપાસ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું
અનશનવ્રતધારી,જૈન સમાજ શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી, સંસ્થાના ચેરમેન શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલીત શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ અને શ્રી ભુજ માકપટ જૈન પરિવાર ના સંયુક્ત ઉપક્રમે કે.ડી. હોસ્પિટલ અમદાવાદના સહકારથી માતૃશી પ્રેમીલાબેન પ્રેમચંદ સંઘવી વિવિધલક્ષી સંકુલ ભુજ મધ્યે ખેંચ/વાઈ/આચકા ની બીમારી ધરાવતા દર્દીમાટે નિઃસુલ્ક કેમ્પ નું ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, સંસ્થાના ચેરમેન શ્રી જીગર તારાચંદભાઈ છેડા,શ્રી ભુજ માકપટ જૈન પરિવાર ના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ શાહ, કે.ડી. હોસ્પિટલ ના ડૉ. અભિષેક ગોહેલ, ડૉ.ગોપાલભાઈ શાહ, ડૉ.ભરતભાઈ ગોહેલના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું.
આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતુ કે સમાજમાં નાનામાં નાના લોકોની સેવા કરવાથી મોટુ પુણ્યનું કોઈ કામ નથી. માન.શ્રી તારાચંદભાઈ છેડાની સેવાની કેડીને કંડારીને તેમના પુત્ર સંસ્થાના ચેરમેન શ્રી જીગર તારાચંદભાઈ છેડા જે સેવાકીય કાર્યો કરે છે તે વંદનને પાત્ર છે. આજે જયારે વિશિષ્ટ બીમારી ના સુપર નિષ્ણાંત ડૉકટરશ્રીઓના સ્થાનીકે કેમ્પ રાખી જે લોક ઉપયોગી કાર્ય કર્યુ છે તે બદલ આનંદ વ્યકત કર્યો હતો.
સંસ્થાના ચેરમેન શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે મારા પુજય પિતાશ્રી અને સંસ્થાના પ્રેરણાશ્રોત અનશનવ્રતધારી,જૈન સમાજ રત્ન શ્રી તારાચંદભાઈ છેડાએ જે સેવાકીય કર્યોની જયોત પ્રજવલીત કરી છે તેને વધુ ને વધુ આગળ ધપાવવાનો એક માત્ર પ્રયાસ હોવાનું જણાવ્યુ હતુ. સ્થાનિકે જે ડૉકટરશ્રીઓની સેવા મળતી નથી તેવા ડૉકટરશ્રીઓને સ્થાનિકે બોલાવીને વિવિધ બીમારી ધરાવતા દર્દીઓને તેમની બિમારી માંથી સાજા કરી સ્વસ્થ સમાજ સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ માં એક નાનો પ્રયાસ હોવાનું કયું હતું.આગામી સમયમાં કચ્છના છેવાડા વિસ્તારમાં આવા મેડીકલ કેમ્પ યોજવાની જાહેરાત કરી હતી. તેમણે કેમ્પમાં સેવા આપનાર ડૉકટરશ્રીઓનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે કેમ્પમાં સેવા આપનાર ડૉ.અભિષેક ગોહેલ અને ડૉ. ગોપાલભાઈ શાહ ખેંચ/વાઈ/આચકા ની તકલીફ ધરાવતા દર્દીઓ સાથે પરિસંવાદ કરી તેમની બીમારીનું સચોટ માર્ગદર્શન આપ્યુ હતું. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ઉપરોકત બીમારી કોઈપણ લોકોને વધુ કે ઓછા પ્રમાણમાં થઈ શકે કે જેથી જે કોઈને ઉપરોકત બીમારીના લક્ષ્ણો જણાયતો પ્રાથમિક સારવાર આપી ડૉકટરશ્રી ને બતાવવા કહયુ હતુ.ઉપરોક બીમારી ધરાવતા દર્દીઓને પોતાની જાતે સારવાર બંધ ન કરતા ડૉકટરશ્રીની સલાહ અનુસાર સારવાર લેવા કરયુ હતુ.ડૉ.ભરતભાઈ ગોહેલે નાના બાળકોમાં થતી ખેંચલવાઈની બીમારી ધરાવતા નાના બાળકોને માર્ગદર્શન આપી તપાસણી કરી હતી.
આ પ્રસંગે કેમ્પમાં સેવા આપનાર ડૉકટરશ્રી અને તેમની ટીમનું બંને સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ શાલ ઓઢાડીને સન્માન કરવું હતુ.આ પ્રસંગ શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ ના ટ્રસ્ટી શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડ, શ્રી ભુજ માકપટ જૈન પરિવાર ના શ્રી ધીરનભાઈ લાલન,શ્રી પ્રકાશભાઈ ગાંધી,શ્રી પ્રવીણભાઈ શાહ, શ્રીચેતનભાઈ ગાંધી,શ્રી મિહિરભાઈ,શ્રી ક.વી.ઓ.સખીવૃન્દ ના પ્રમુખ પ્રીતીબેન છેડા, શ્રીમતી ભક્તિબેન વોરા, શ્રીમતી કેતાનાબેન નાગડા, શ્રીમતી ઇશાબેન દેઢોયા, શ્રીમતી કાજલબેન ગાલા,દીનલ ધરોડ,કે.ડી હોસ્પિટલ ના શ્રી દિનેશભાઈ રબારી, શ્રી જીતેન્દ્રભાઈ ચાવડા અને દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કેમ્પને સફળ બનાવવા શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ ના મેનેજર શ્રી હરનીશભાઈ મહેતા, શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ ના જનરલ મેનજર શ્રી અંકિત ગાલા, શ્રી ભુજ માકપટ જૈન સંકુલ ના મેનજર શ્રી ચીમનભાઈ શાહ વિગેરે જહેમત ઉઠાવી હતી.સંચાલન શ્રી હિરેનભાઈ પાસડ કર્યું હતું.
http://www.indiansociologist.in