ઘાનામાં પીએમ મોદીને 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રપતિ મહામાએ સ્વાગત કર્યું

PM MODI : બુધવારે પીએમ નરેન્દ્ર મોદી આફ્રિકન દેશ ઘાના પહોંચ્યા. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામાએ રાજધાની એક્રોના એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીને 21 તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

PM MODI : વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે બાળકો એક્રોની એક હોટલની બહાર ભારતીય પોશાક પહેરીને પહોંચ્યા છે. તેમણે પીએમ મોદી માટે સંસ્કૃતમાં શ્લોક કંઠસ્થ કર્યા છે.

PM MODI : મોદી 2 જુલાઈથી 8 દિવસ માટે 5 દેશોની મુલાકાતે છે. તેઓ પહેલી વાર ઘાનાની મુલાકાતે આવ્યા છે. 30 વર્ષમાં કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી ઘાના મુલાકાત છે. અગાઉ, 1957માં પંડિત જવાહરલાલ નહેરુ અને 1995માં નરસિંહ રાવે પીએમ તરીકે ઘાનાની મુલાકાત લીધી હતી.
ઘાના પછી, પીએમ મોદી ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. 2014 પછીના તેમના ત્રણ કાર્યકાળમાં, આ પીએમની ત્રિનિદાદ અને ટોબેગો અને નામિબિયાની પણ પ્રથમ મુલાકાત હશે. મોદી બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપશે.
પીએમ મોદી ઘાનામાં રાષ્ટ્રપતિ જોન મહામાને મળશે. બંને નેતાઓ દ્વિપક્ષીય વેપાર અને સંબંધો પર ચર્ચા કરશે. આ દરમિયાન ઉર્જા, કૃષિ અને ડિજિટલ ટેકનોલોજી અને રસી હબ વિકસાવવાના ક્ષેત્રમાં અનેક કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે.
ભારતની UPI અને ડિજિટલ ચુકવણી સિસ્ટમ ઘાનામાં લાવવા પર પણ વાતચીત થશે, જેથી બંને દેશોમાં ડિજિટલ વ્યવહારો સરળ બની શકે. મોદી અને મહામા એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજશે.
પીએમ મોદી ઘાનાની સંસદ અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના 15,000 લોકોને સંબોધિત કરશે. ઘાનાના રાષ્ટ્રપતિ મહામા પીએમ મોદીના સન્માનમાં એક સ્ટેટ ડિનરનું પણ આયોજન કરશે.
ભારત અને ઘાના આંતરરાષ્ટ્રીય મંચો પર એકબીજાના મજબૂત સમર્થક રહ્યા છે. બંને દેશો બિન-જોડાણવાદી ચળવળ (NAM)ના સભ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનોમાં સાથે મળીને કામ કરે છે. ઘાનાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ટેકો આપ્યો છે.
બંને દેશો જળવાયુ પરિવર્તન, આતંકવાદ અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર એકબીજાની સાથે ઉભા છે. કોવિડ-19 મહામારી દરમિયાન, ભારતે ઘાનાને વેક્સિન અને મેડિકલ સહાય પૂરી પાડી હતી. ભારતે ઘાનાને કોરોનાની 6 લાખ વેક્સિન પૂરી પાડી હતી.
ક્વામે એનક્રુમા ઘાનાના મહાન નેતા હતા, જેમને 'આફ્રિકાના મહાત્મા ગાંધી' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે અમેરિકામાં અભ્યાસ કરતી વખતે ગાંધીજીના વિચારો વાંચ્યા હતા અને તેમના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ પછી, તેઓ ઘાના આવ્યા અને કન્વેન્શન પીપલ્સ પાર્ટી (CPP)ની રચના કરી અને દેશમાં સ્વતંત્રતાની લડાઈ શરૂ કરી.
આ માટે નક્રુમાએ અહિંસા, એકતા અને નાગરિક કાનૂનભંગની ગાંધીવાદી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. નક્રુમા માનતા હતા કે ઘાનાને હિંસા વિના બ્રિટિશ શાસન સામે શાંતિપૂર્ણ સંઘર્ષ દ્વારા મુક્ત કરી શકાય છે, જેમ ગાંધીએ ભારતમાં કર્યું હતું.
1950માં, નક્રુમાએ 'પોઝિટિવ એક્શન' નામની રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું. આ માટે તેમને જેલમાં જવું પડ્યું, પરંતુ તેનાથી તેમની લોકપ્રિયતામાં વધારો થયો. 6 માર્ચ 1657ના રોજ, નક્રુમાના નેતૃત્વ હેઠળ, ઘાના બ્રિટનથી સ્વતંત્રતા મેળવનાર આફ્રિકાનો પ્રથમ દેશ બન્યો.
ઘાનાની સ્વતંત્રતાની અસર સમગ્ર આફ્રિકા પર પડી. તેથી, અન્ય દેશોમાં પણ સ્વતંત્રતાની માંગ તીવ્ર બની. થોડા વર્ષોમાં, નાઇજીરીયા, કેન્યા, તાંઝાનિયા જેવા ઘણા દેશોએ બ્રિટિશ, ફ્રેન્ચ અથવા બેલ્જિયન સંસ્થાનવાદથી સ્વતંત્રતા મેળવી.