રિપોર્ટ :- મહેશ. ડી.સિધવ
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 'હર ઘર તિરંગા' ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત મોરબી ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી નવા બસ સ્ટેન્ડ સુધી આયોજીત 'તિરંગા યાત્રા' ને સાંસદ વિનોદભાઈ ચાવડાપ્રસ્થાન કરાવ્યું.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ કેશરીદેવસિંહ ઝાલા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરીયા મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ, મોરબી વહીવટી તંત્રના અધિકારી - કર્મચારીઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો, પાર્ટી આગેવાનો, વિદ્યાર્થીઓ સાથે નગરજનો જોડાયા હતા .