THE INDIAN SOCIOLOGIST

મોરબી મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ:મૌન રેલી યોજાઈ


મોરબી મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ:મૌન રેલી યોજાઈ

રિપોર્ટ :- મહેશ ડી સિંધવ

આજે ૧૧ ઓગસ્ટ ગુજરાતનો સૌથી ભયાનક દિવસ તરીકે માનવામાં આવે છે. વર્ષ ૧૯૭૯ માં ૧૧ ઓગસ્ટના રોજ મોરબી મચ્છુ જળ હોનારત આવ્યું હતું જેને આજે ૪૫ વર્ષ પૂર્ણ થયા છે. ચાર ચાર દશકા બાદ પણ પણ આજ ના દિવસને મોરબી જ નહીં પરંતુ ગુજરાત એને વિદેશના કોઈપણ લોકો એ ગોઝારી ઘટનાને ભૂલી શક્યા નથી. ત્યારે આજે તે “મચ્છુ જળ હોનારત દિન” નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા ૨૧ સાયરન વગાડી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવંગતો ને શ્રધાંજલિ અર્પણ કરી હતી.

મોરબી નગરપાલિકા દ્વારા બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌન રેલી શરૂ કરી ને મણીમંદિર ખાતે આવેલ સ્મૃતિ સ્મારક સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ આ રેલી શરૂ થાય ત્યારથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી મોરબીના નહેરુ ગેટ ખાતે ૨૧ બ્યુગલ વગાડવામાં આવ્યા હતા.અને આ રેલી મચ્છુ હોનારત ના મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણી મંદિર ખાતે પહોંચી હતી અને ત્યા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ, જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ તેમજ નેતાઓ અને લોકો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું.
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST