THE INDIAN SOCIOLOGIST

મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ચંદ્રકાંતભાઈ ચોથાણીની ઓળખાણ અને મહેનત - માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ની મદદ તેમજ અમદાવાદના ડોક્ટરની માનવતાથી ચોબારીના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરે આંખની ગુમાવેલી દ્રષ્ટિ પાછી મેળવી.


 મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ચંદ્રકાંતભાઈ ચોથાણીની ઓળખાણ અને મહેનત - માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ની મદદ તેમજ અમદાવાદના ડોક્ટરની માનવતાથી ચોબારીના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરે આંખની ગુમાવેલી દ્રષ્ટિ પાછી મેળવી. 

  મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી ની ઓળખાણ અને મહેનત તેમજ માંડવીમાં 32 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની આર્થિક મદદ તથા અમદાવાદના આઈ કેર હોસ્પિટલના આંખના નિષ્ણાંત ડો. સસાંક રાઠોડની માનવતાથી ભચાઉ તાલુકાના ચોબારી ગામના પ્રજ્ઞાચક્ષુ(સાઇટેડ) ક્રિકેટર દશરથભાઈ આહીરે પોતાની આંખની દ્રષ્ટિ પાછી મેળવી છે.

         અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરામૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે 32 વર્ષથી કાર્યરત માંડવીની સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામના પ્રજ્ઞાચક્ષુ (સાઇટેડ) દશરથભાઈ વાલાભાઈ આહીર ની આંખમાં માત્ર 20% જ નજર હતી તે પણ મોતિયો અને આંખના પડદાની તકલીફ ના કારણે દશરથભાઈ દ્રષ્ટિ ગુમાવી ચૂક્યા હતા. દશરથભાઈ આહીર હાલમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એસ.વાય. બી.એ. માં અભ્યાસ કરી રહ્યા છે. તેમના પિતા વાલાભાઈ 100 ટકા પ્રજ્ઞાચક્ષુ છે અને માતા મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

        અમદાવાદમાં વાલાભાઈ એકાદ મહિના સુધી જુદી જુદી હોસ્પિટલના આંખના ડોક્ટર પાસે ગયા પણ બધા ડોક્ટરોએ ઓપરેશન ના એક થી દોઢ લાખ રૂપિયા માંગ્યા. દશરથભાઈ ની આર્થિક પરિસ્થિતિના કારણે તે આપી શકે એમ ન હતા પછી તેમણે મોબાઇલના ગ્રુપમાં મદદ માટે મેસેજ વાયરલ કર્યો. આ મેસેજ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સહમંત્રી સુલતાનભાઈ મીરે વાંચીને, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીને વાત કરી. પ્રતાપભાઈ ચોથાણીએ પોતાના ભાઈ અને મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી તથા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં ઉપપ્રમુખ ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીને વાત કરી. સેવાભાવી ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણીએ અમદાવાદની આઈ કેર હોસ્પિટલમાં આંખના ડોક્ટર શશાંક રાઠોડને કેનેડાથી મોબાઇલ ફોનમાં વાત કરી. ડો. શશાંક રાઠોડ ચંદ્રકાંતભાઈના મિત્ર થાય. ડો. શશાંક રાઠોડે ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીને જણાવ્યું  કે, ઓપરેશન નો એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર કરી આપીશ. પણ લેન્સના માત્ર 10 હજાર આપજો.


 महाराष्ट्र का अगला मुख्यमंत्री कौन होगा? एकनाथ शिंदे LIVE   (OPEN THIS LINK TO VIEW)


         માંડવીની સંસ્થાએ અમદાવાદની આઈ કેર હોસ્પિટલ ને રૂપિયા 10 હજાર નો ચેક મોકલીને ચંદ્રકાંતભાઈ ચોથાણીને ફોનથી જાણ કરી, ચંદ્રકાંતભાઈ ચોથાણી એ ફોન કરીને ડોક્ટર સાથે વાત કરી.માનવતાવાદી ડો. શશાંકભાઈ રાઠોડે ઓપરેશનનો એક પણ રૂપિયો લીધા વગર, દશરથભાઈ આહીર નું સફળ ઓપરેશન કરી આપ્યું.
           આમ દશરથભાઈ આહિરે ગુમાવેલ દ્રષ્ટિ પાછી મેળવી છે.
            દશરથભાઈ આહીર અને તેમના પરિવારે મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણી માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને માનવતાવાદી અમદાવાદના ડો. શશાંક રાઠોડ નો આભાર માન્યો હતો. 
        આમ મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીની ઓળખાણ અને મહેનતથી પ્રજ્ઞાચક્ષુ દશરથભાઈ આહિરે ગુમાવેલ દ્રષ્ટિ મેળવી છે.
             અત્રે એ ઉલ્લેખનીય છે કે, ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી માંડવી હોય, મસ્કત હોય કે કેનેડા હોય તેઓ હંમેશા લોકોને ઉપયોગી થાય છે અને સંસ્થાઓને દાન અપાવે છે. એમ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST