THE INDIAN SOCIOLOGIST

માંડવીના પૂર્વ ધારાસભ્ય સ્વ.જયકુમારભાઈ સંઘવીની સાતમી વાર્ષિક પુણ્યતિથિ


TODAY'S NEWS

માંડવીના પૂર્વ ધારાસભ્ય સ્વ.જયકુમારભાઈ સંઘવીની

સાતમી વાર્ષિક પુણ્યતિથિ 

માંડવીમાં રવિવારે માંડવીની વિવિધ સંસ્થાઓના સહકારથી

"જીવદયા અને માનવસેવા" થી ઉજવાશે.


TODAY'S NEWS  માંડવીના પૂર્વ ધારાસભ્ય સ્વ .જયકુમારભાઈ સંઘવી ની સાતમી વાર્ષિક પુણ્યતિથિ માંડવીમાં તા.1/12  ને રવિવારના રોજ વિવિધ સંસ્થાઓના સહકારથી, સંઘવી ઝવેરબેન ચુનીલાલ ભુલાણી પરિવાર દ્વારા, જીવદયા અને માનવસેવાના કાર્યોથી ઉજવાશે.
                 તા.1 /12 ને રવિવારના સવારના 10:15 કલાકે જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના સહકારથી, લાખાસર ચોકમાં આવેલા શિવ - શાંતિ ક્લિનિક માં જરૂરતમંદ સગર્ભા મહિલાઓને," દેશી ઘી ની સુખડીનું "વિતરણ કરાશે.
           બપોરે 12:30 કલાકે "એક પગલું "સંસ્થાના સહયોગથી રખડતા - ભટકતા દરિદ્રોને "ભોજન "અપાશે .
         સાંજે 4:00 વાગે જૈન જાગૃતિ સેન્ટર- માંડવીના સહયોગથી માંડવીની પાંજરાપોળ ની ગાયમાતાને "લીલા ચારા નું નિરણ" કરાશે તેમજ મણિભદ્ર વીર દાદા ગ્રુપના સહયોગથી ગાયમાતા અને શ્વાનોને "લાપસીનું" ભોજન અપાશે.
                  સાંજે 5:30 કલાકે માંડવીના રોટરી ક્લબના સહયોગથી, જૈન આશ્રમમાં રહેતા આશ્રિતોને "સ્નેહ ભોજન"અપાશે.
                     રાત્રે 8:30 કલાકે શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપના સહયોગથી માંડવીના રખડતા- ભટકતા દરિદ્રો‌ લોકોને  "ભોજન" અપાનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

TODAY'S NEWS 



INDIAN SOCIOLOGIST
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST