THE INDIAN SOCIOLOGIST

સમગ્ર વિશ્વની સાથે આજે માંડવીમાં પણ વર્લ્ડ આયંબિલ ડે ઉજવાયો.

 સમગ્ર વિશ્વની સાથે આજે માંડવીમાં પણ વર્લ્ડ આયંબિલ ડે ઉજવાયો. 

આચાર્યશ્રી હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ 10,000 આયંબીલ કરીને

જૈન શાસનમાં નવો રેકોર્ડ સ્થાપ્યો. 





          માંડવીમાં પાંચેગચ્છના આયંબીલ તપની આરાધના કરાવવાનો લાભ સરલાબેન નરેન્દ્રભાઈ મહેતાએ લીધો. 
આજે શુક્રવારે વિશ્વભરના એક લાખથી વધુ જૈનો એ આયંબીલ કરીને પોતાનું તપ ગુરુદેવને સમર્પિત કર્યું.
           સમગ્ર વિશ્વની સાથે આજે તા. 29/11 ને શુક્રવારના રોજ સમગ્ર વિશ્વની સાથે આજે માંડવીમાં પણ વર્લ્ડ આયંબીલ ડે ઉજવાયો હતો. આચાર્ય શ્રી હેમવલ્લભસૂરી મહારાજ સાહેબે સરંગ 10,000 (દસ હજાર) આયંબીલ તપની આરાધના કરીને જૈન શાસનમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે.
         માંડવીમાં પાંચેગચ્છના આયંબિલ તપની આરાધના કરવા નો લાભ સરલાબેન નરેન્દ્રભાઈ મહેતા (હસ્તે:- આરાધ્યા નિમીશભાઈ મહેતા) એ લીધો હતો. આજે શુક્રવારે પ્રાય: વિશ્વભરના એક લાખથી વધુ જૈનોએ આયંબીલ તપની આરાધના કરીને પોતાનું તપ ગુરુદેવને સમર્પિત કર્યું હતું.
         મુળ વઢવાણ અને મુંબઈના ઘાટકોપરના વતની પરમ પૂજ્ય હેમવલ્લભ સુરી મહારાજ સાહેબે વિશ્વભરમાં સુખ તેમજ શાંતિ સ્થપાય, ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્રની સુરક્ષા જળવાય તથા જૈન ધર્મના ફિરકા, સમુદાય, ગચ્છ વચ્ચે એકતા સ્થપાય એ હેતુથી જૈનોને સામુદાયિક રૂપે આયંબીલ તપ કરવાની પ્રેરણા આપી હતી. 
         માંડવીમાં આજે શુક્રવારે જૈનપુરી માં પાંચેગચ્છના કુલ 193 શ્રાવક - શ્રાવિકાઓએ આયંબીલ તપ કરેલા હતા. આયંબીલ તપ કરાવવાનો લાભ સરલાબેન નરેન્દ્રભાઈ મહેતા (હસ્તે:- આરાધ્યા નિમિશભાઈ મહેતા)એ લીધો હતો. જુદા જુદા દાતાશ્રીઓએ દરેક તપસ્વીને રૂપિયા 350/-  ની પ્રભાવના કરીને તપસ્વીઓની અનુમોદના કરી હતી. આયંબીલ તપ સુપેરે પાર પડે તે માટે માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
          અત્રે એ ઉલ્લેખનીય છે કે, જૈન ધર્મમાં આયંબીલ તપને ઉત્કૃષ્ટ ગણાવાયું છે. 24 કલાકમાં ફક્ત એક વખત એક જ જગ્યાએ બેસીને લીલોતરી, ફળો, તેલ-ઘી, દૂધ, સાકર, મસાલા, તરેલા ફરસાણ વિનાનો ફક્ત દાળ-કઠોળ તથા ધાન્યમાંથી બનતો ખોરાક ગ્રહણ કરવાને આયંબીલ તપ કહેવાય છે. આ તપ માં ખોરાક ખાવાનો તો છે પરંતુ રસ સ્વાદ ત્યાગ કરવાનો હોવાથી આયંબીલ ને ઉત્તમ તપ કહેવાયું હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પુર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું
























Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST