THE INDIAN SOCIOLOGIST

P.H.D. : ડૉ. રોનિત પુષ્પકાંત શાહે પી.એચ.ડી.માં ભારતમાં પ્રથમ નંબર મેળવ્યો.

P.H.D. : માંડવી તપગચ્છ જૈન સંઘ અને વર્ધમાન નગર (ભુજોડી)નું ગૌરવ વધારતા ડૉ. રોનિત પુષ્પકાંત શાહ. કચ્છી જૈન ગુર્જર સમાજમાં પી.એચ.ડી.માં ભારતમાં પ્રથમ નંબર મેળવ્યો.




કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા - પાખાડી (મુંબઈ)માં જાન્યુઆરી માસમાં યોજાનાર શાનદાર સમારોહમાં ડૉ. રોનિત શાહ નું સન્માન થશે.

P.H.D. : કચ્છી જૈન ગુર્જર સમાજ માં પી.એચ.ડી.માં ભારતમાં પ્રથમ નંબર મેળવીને ડૉ. રોનિત પુષ્પકાંત શાહે, માંડવી તપગચ્છ જૈન સંઘ અને વર્ધમાન નગર (ભુજોડી )જૈન સંઘ નું ગૌરવ વધારેલ છે. આગામી જાન્યુઆરી- 2025 ની 26 તારીખે કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા - પાખાડી (મુંબઈ )દ્વારા મુંબઈ માં યોજાનાર એક શાનદાર સમારોહમાં ડૉ. રોનિત શાહનું સન્માન થનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

P.H.D. : ભુજના જાણીતા ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર ડૉ. રોનિત પુષ્પકાંત શાહ કચ્છી જૈન ગુર્જર સમાજમાં ભારતમાં ડોક્ટર ઓફ ફિલોસોફી માં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવેલ છે.આ પહેલા પણ બી.કોમ., એમ.બી.એ., એલ.એલ.બી.અને એલ.એલ.એમ. કરી ચૂક્યા છે સાથો સાથ આ વર્ષે કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ એજ્યુકેશન- 2024 મેળવવા પણ ભાગ્યશાળી બન્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ડૉ.રોનિત શાહ સાયબર ક્રાઇમ ના કેશ નાત જાત ના ભેદભાવ વગર બધી જ્ઞાતિના લોકો માટે નિઃશુલ્ક લડે છે. આમ ડૉ. રોનિત શાહ સેવાભાવી પણ છે. ડૉ. રોનિત શાહે માકપટ જૈન સમાજનું પણ ગૌરવ વધારેલ છે.

P.H.D. : ડૉ.રોનિત શાહ ના પિતા પુષ્પકાંત પોપટલાલ શાહ મંજલ (તા. નખત્રાણા) ના છે.તેઓ વર્ષો સુધી માંડવીમાં નવાપુરા માં રહેતા હતા. હાલમાં ડૉ. રોનિત શાહના માતા રેખાબેન અને પિતા પુષ્પકાંતભાઈ શાહ વર્ધમાન નગર (ભુજોડી)માં રહે છે. ડૉ. રોનિત શાહને માંડવી જૈન સમાજ( બે નાત) ના પ્રમુખ મેહુલભાઈ શાહ, તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ, સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ, વાડીલાલભાઈ દોશી,ભરતભાઈ મહેતા (ડગાળા વાલા) જૈન અગ્રણી જયેશભાઈ જી. શાહ અને માકપટ જૈન સમાજના પ્રમુખ વિનોદભાઈ શેઠ વગેરે એ અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. રોનિત શાહને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST