ટાટા કેમિકલ ના કન્સલટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તથા ટાટા કેમિકલ ના પૂર્વ જનરલ મેનેજર શ્રી સી.એમ. દ્રિવેદી સાહેબે માંડવી શહેરની મુલાકાત લીધી હતી.
ટાટા કેમિકલ ના કન્સલટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સી.એમ.દ્રિવેદી સાહેબે માંડવીની મુલાકાત લીધી. માંડવીની અગ્રીમ 6(૬) સંસ્થાઓએ દ્રિવેદી સાહેબ નું સન્માન કર્યું.
TATA : ટાટા કેમિકલ ના કન્સલટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સી.એમ.દ્રિવેદી સાહેબે માંડવીની મુલાકાત લીધી. માંડવીની અગ્રીમ 6(૬) સંસ્થાઓએ દ્રિવેદી સાહેબ નું સન્માન કર્યું.
કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યા ના આમંત્રણ ને માન આપીને માંડવી ની છ(૬) અગ્રીમ સંસ્થાઓએ શ્રી સી.એમ.દ્રિવેદી સાહેબ સાથે મુલાકાત 25 મી ડિસેમ્બરના માંડવીની ઓદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજની વાડી મધ્યે ગોઠવવામાં આવી હતી.
TATA : કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાના પ્રમુખ સ્થાને અને ટાટા કેમિકલ ના કન્સલટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ શ્રી સી. એમ. દ્રિવેદી સાહેબના મુખ્ય મહેમાન પદે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ, માંડવી બુલિયન એસોસિએશન પ્રમુખ ભરતભાઈ કપ્ટા ,સીનીયર સીટીઝન ફોરમ ના પ્રમુખ રમણીકભાઈ રાયચંદા અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ શાહ મંચસ્થ રહ્યા હતા.
સ્વાગત પ્રવચનમાં કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યા એ દ્રિવેદી સાહેબ અને છ (૬) એ સંસ્થાના હોદ્દેદારો અને સભ્યોને આવકારી જણાવ્યું હતું કે, માંડવી માં ઓફ શોટ માઈનિંગ ને મંજૂરી મળે તો માંડવી થી દરરોજ રેલવેની એક રેન્ક મિનરલની નિકાસ દેશના અને સ્થળે જઈ શકશે અને માંડવીમાં ફરી એકવાર 84 બંદરો સાથે વેપાર થઈ શકશે અને જો માંડવી ને રેલવેની સુવિધા મળે તો માંડવી નો સર્વાંગી વિકાસ થઈ શકશે એમાં શંકા અને સ્થાન નથી.હાલમાં ગુજરાત રાજ્યમાં ખાણ અને ખનીજ ખાતું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે છે. રાજ્યકક્ષાના મંત્રી ની નિમણૂક કરી નથી. મુખ્યમંત્રી શ્રી ની વ્યસ્તતાને કારણે ખાણ અને ખનીજ ખાતાના નીતિવિષયક નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. તેથી રાજ્ય કક્ષાના મંત્રી ની નિમણૂક કરવા દીપકભાઈ પંડયા એ અનુરોધ કરેલ હતો જેથી ખાણ અને ખનીજ ખાતા નો વિકાસ સુપેરે થઈ શકશે .
TATA : મુખ્ય મહેમાન પદે થી શ્રી સી.એમ.દ્રિવેદી સાહેબે સન્માન બદલ આભાર ની લાગણી વ્યક્ત કરીને વધુમાં જણાવ્યું હતું કે લીઝ હોલ્ડરો અને ખનીજ ઉદ્યોગોને પડતી મુશ્કેલી તેમજ હાલમાં પ્રવર્તમાન ખાણ અને ખનીજના ઉદ્યોગોને જે સમસ્યાઓથી કચ્છનો ખાણ અને ખનીજ ઉદ્યોગ ઝઝુમી રહ્યો છે તેના સમાધાન માટે માર્ગદર્શન આપેલ હતું અને જે નીતિવિષયક સમસ્યા છે તે માટે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને ચર્ચા કરશે.આ ઉપરાંત પર્યાવરણ સંબંધી જે સમસ્યાઓ છે તેની રજૂઆત
કેન્દ્ર સરકાર સમક્ષ પણ કરશે અને સમગ્ર ભારતના ખાણ અને ખનીજો ઉદ્યોગો સાથે સંકળાયેલ સંસ્થા FIMMI સાથે પણ ચર્ચા કરી યોગ્ય સમાધાન મળે તે માટે પ્રયાસ કરશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જ ભારત સરકારે ઓફશોટ માઇનિંગ ના નવા નિયમો બહાર પાડ્યા છે તે મુજબ કચ્છમાં પણ 160 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે તેને આ દરિયામાં ગ્રીન લેન્ડ મોલ્ડિગ માટેની ખૂબ જ કીંમતી "સેન્ડ"લાખો ટન ધરબાયેલી છે તેનું ઉત્પાદન થઈ શકે તે માટે વહેલી તકે માંડવીના દરિયામાં ધરબાયેલી ગ્રીનલેન્ડ મોલ્ડિંગ માટે ની" સેન્ડ"ના ઉત્પાદનને મંજૂરી મળે તે માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી વહેલી તકે સંશોધન કરી બ્લોક બનાવી મંજૂરી આપે તેવી રજૂઆત કરશે.
TATA : માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી,માંડવી મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ લિનેશભાઈ શાહ, માંડવી બુલિયન મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ ભરતભાઈ કપ્ટા,માંડવી સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ રમણીકભાઈ રાયચંદાઅને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ શાહે માંડવી ની સંસ્થાઓને મુલાકાત આપવા બદલ દ્રિવેદી સાહેબનો આભાર વ્યક્ત કરી દ્રિવેદી સાહેબ ની હકારાત્મક માહિતી આપવા બદલ સરાહના કરી હતી. તમામ સંસ્થાઓએ જણાવ્યું હતું કે માંડવીનો વિકાસ માંડવીને રેલવેની સુવિધા મળશે તો ચોક્કસ થશે એમાં શંકા ને સ્થાન નથી.
કચ્છ માઇન્સ મીનરલ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દીપકભાઈ પંડ્યા અને તેમની ટીમે દ્રિવેદી સાહેબને કચ્છી પાઘડી પહેરાવી,સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ સમિતિના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને તેમની ટીમ,માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ અને તેમની ટીમ, માંડવી બુલિયન એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપ્ટા અને તેની ટીમ તથા માંડવી સિનિયર સિટીઝનના પ્રમુખ રમણીકભાઈ રાયચંદા અને તેમની ટીમે સાલ ઓઢાડીને શ્રી દ્રિવેદી સાહેબનું અભિવાદન કરેલ હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી નરેન્દ્રભાઈ શુરૂએ આભાર દર્શન કરેલ હતું.અંતમાં અલ્પાહારને ન્યાય આપીને સૌ ખુશનુમાં વાતાવરણમાં છૂટા પડ્યા હતા.
TATA : આ સમારોહમાં માડવીની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સર્વશ્રી ચંદ્રસેનભાઈ કોટક, નવલશંકર સોદાગર, નરેન્દ્રભાઈ સોની,હરિભાઈ પટેલ, લલિતભાઈ મહેતા,ગૌરવ શાહ, સુનિલભાઈ સોની, મહેશભાઈ રાવલ, ડી. કે.પંચાલ,બાબુભાઈ મેમણ,ગૌરવ પંડ્યા, દિનેશભાઈ કોટક,રાજુભાઈ બુધ્ધભટ્ટી,કૃણાલ ઠક્કર અને આદમભાઈ ધોબી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : GURJAR JAIN : માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે ભક્તિનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો.
INDIAN SOCIOLOGIST