THE INDIAN SOCIOLOGIST

GURJAR JAIN : માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે ભક્તિનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો.

માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે ભક્તિનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો.

માંડવી શહેરની તમામ 18 સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાલવાટિકાના વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટર વિતરિત કરાયા.

માંડવીના જૈન દેરાસરો અને સ્થાનકોના કર્મચારીઓને ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ ટોપી અને મીઠાઈનો બોક્ષ આપી શાલ ઓઢાડી સન્માન કરાયું.

માંડવી શહેરની શાળાઓમાં ધોરણ 3 થી 10 માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબરે આવેલા તેજસ્વી તારલાઓને નવેમ્બર 2024 ની રોકડ સ્કોલરશીપ અપાઈ.

માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ મંચના ઉપક્રમે તાજેતરમાં અનુકંપાભક્તિ - સાધર્મિક ભક્તિ અને અનુમોદના ભક્તિનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો હતો.

GURJAR JAIN : માંડવીની આંબા બજાર (સોની બજાર)માં આવેલા ત્રણગચ્છ જૈન સંઘના ઉપાશ્રયમાં પરમ પૂજ્ય વિજય શેખર વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાયેલા ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અધ્યક્ષ પદે અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને જૈન નુતન પ્રાથમિક શાળા નંબર 3 ના આચાર્ય પુનિતભાઈ વાસાણી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ, સંસ્થા ના કાર્યકરો એડવોકેટ ઉદયભાઇ શાહ, અજીતભાઈ પટવા અને લહેરીભાઈ શાહ મંચસ્થ રહ્યા હતા. જય જિનેન્દ્ર ભક્તિ મંડળના અગ્રણી પરેશભાઈ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં પરમ પૂજ્ય વિજયશેખરવિજયજી મહારાજ સાહેબે માંગલિક શ્રવણ કરાવી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

GURJAR JAIN : આ સમારોહમાં માંડવી શહેરની તમામ 18 સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટર મંચસ્થોના હસ્તે તમામ પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકોને અર્પણ કરાયા હતા.

માંડવી શહેરના જૈન દેરાસરો અને સ્થાનકોમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ ટોપી અને મીઠાઈનો બોક્સ આપી, શાલ ઓઢાડીને મંચસ્થ મહેમાનો અને શિક્ષકોના હસ્તે સન્માન કરાયું હતું.

માંડવી શહેરની શાળાઓમાં ધોરણ 3 થી 10 માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબરે આવેલા તેજસ્વી તારલાઓને નવેમ્બર - 2024 ની રોકડ સ્કોલરશીપ નું વિતરણ મંચસ્થોના હસ્તે કરાયું હતું. સતત ચોથા વર્ષે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો.

GURJAR JAIN : બાલવાટિકાના વિધાર્થીઓને સ્વેટર શ્રીમતી રેખાબેન નટવરભાઈ સંઘવી (માંડવી-મુંબઈ), લક્ષ્મણભાઈ ભોગીલાલ સંઘવી (માંડવી-વડોદરા) અને જિનેશભાઈ પ્રભુલાલ શાહ (માંડવી-વડોદરા) ના આર્થિક સહયોગથી, દહેરાસર અને સ્થાનકોના કર્મચારીઓને, માંડવી અચલગચ્છ જૈન સંઘ, ચેતનભાઇ મણીલાલ વોરા પરિવાર, અરવિંદભાઈ કુંવરજી ગાલા પરિવાર માંડવી અને વિનેશભાઈ પુનશી મૈશેરી (શાહ)માંડવી તથા વિદ્યાર્થીઓને રોકડ સ્કોલરશીપ શ્રીમતી રેખાબેન નટવરભાઈ સંઘવી (માંડવી-મુંબઈ) તરફથી અપાઈ હતી.

પ્રમુખ સ્થાનેથી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, અતિથિ વિશેષ પદેથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના આચાર્ય પુનિતભાઈ શાહે પ્રસંગિક પ્રવચનમાં દાતા પરિવારને અભિનંદન પાઠવી, માંડવી ગુર્જર જૈન સમાજ અભિયાન મંચની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે કરી હતી.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST