THE INDIAN SOCIOLOGIST

VANKI TIRTH : વાંકી તીર્થમાં માંડવી નિવાસી "ડગાળા વાલા" પરિવારના સૌજન્યથી "અઠ્ઠમતપ" ની આરાધના

ગુરૂવારના અઠ્ઠમતપ ના સમાપન બાદ ડગાળાવાલા પરિવારના સૌજન્યથી તમામ તપસ્વીઓ શુક્રવારના સામૂહિક પારણા કરશે.


VANKI TIRTH : મુન્દ્રા તાલુકાના વાંકી તીર્થમાં જૈનાચાર્યની પાવન નિશ્રામાં મંગળવારથી "અઠ્ઠમતપ" (ત્રણ ઉપવાસ)ની આરાધનાનો શુભારંભ થયો. માંડવી નિવાસી "ડગાળા વાલા" પરિવારના સૌજન્યથી "અઠ્ઠમતપ" ની આરાધનામાં 150થી વધારે તપસ્વીઓ "અઠ્ઠમતપ" માં જોડાયા.

VANKI TIRTH : મુન્દ્રા તાલુકાના વાંકી તીર્થમાં પાર્શ્વનાથ પરમાત્માના સાનિધ્યમાં જૈનાચાર્ય શ્રીયશોવિજયસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં માંડવી નિવાસી માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (હસ્તે : રૂપલબેન ભરતભાઈ મહેતા અને રીયાબેન કેરીનભાઈ મહેતા) (ડગાળાવાળા પરિવાર) તરફથી તા. 24/12ને મંગળવારથી અઠ્ઠમતપ (ત્રણ ઉપવાસ)નો શુભારંભ થયો છે.

તમામ તપસ્વીઓને તા.23/12ને સોમવારના અતરવાયણા કરાવાયા હતા. આ અઠ્ઠમતપની આરાધનામાં માંડવી, ભુજ, મુન્દ્રા, ભુજોડી, રાજકોટ અને પુનાથી કુલ ૧૫૦ (એકસો પચાસથી વધારે સંખ્યામાં તપસ્વીઓ જોડાયા છે.

તમામ તપસ્વીઓને ડગાળાવાળા પરિવાર તરફથી ગુરૂવારના અઠ્ઠમતપ ના સમાપન બાદ તા. 27/12ને શુક્રવારના સામુહિક પારણા કરાવવામાં આવનાર હોવાનું ડગાળાવાલા પરિવારના ભરતભાઈ, વિરલભાઈ, સંજયભાઈ અને જીતુભાઈ મહેતાએ જણાવ્યું હતું.

VANKI TIRTH : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા ના 2900 માં જન્મ કલ્યાણક ના પાવન અવસરે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો અઠ્ઠમતપ (ત્રણ ઉપવાસ) કરાવવામાં આવતું હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ તથા મુન્દ્રા તપગચ્છ જૈન સંઘના વિનોદભાઈ મહેતાએ એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું.

તમામ તપસ્વીઓને લાભાર્થી પરિવાર તરફથી પ્રથમ તિલક તથા લીલા નાળિયેરની પ્રભાવના કરાવવામાં આવી હતી. જમણવારમાં બુફે નહીં પરંતુ પંગતમાં બેસાડીને ડગાળાવાલા પરિવારે અતરવાયણા સોમવારે કરાવ્યાં હતાં.

જૈનાચાર્ય શ્રીયશોવિજયજી મહારાજના મુખેથી દરરોજ પાંચ કલાકની પ્રવચન માળા નો તપસ્વીઓ લાભ લઈ રહ્યાં છે .જેનાચાર્યે જીનવાણીમાં ભગવાનનો ઈતિહાસ સાદી અને સરળ ભાષામાં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા અઠ્ઠમતપનું મહત્વ સમજાવ્યું હતું.

VANKI TIRTH : રમણીય વાંકી તીર્થ મધ્યે તપસ્વીઓ પરમાત્માની પક્ષાલ પૂજા અને દેવ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

સુરેન્દ્રભાઈ છેડા, યોગેશભાઈ શાહ અને હરીશભાઈ ગાલા સહિતના ટ્રસ્ટીઓ ઉપરાંત શામજીભાઈ ડુડિયા જહેમત ઉઠાવી રહ્યાં છે. આ ઉપરાંત માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને સમગ્ર કારોબારી ખૂબ જ સાથ સહકાર આપી રહ્યાં છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST