INDEPENDENT : માંડવીમાં 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા.
છેલ્લા 26 વર્ષથી સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ-ગોધરા અને અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરામુંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા ૩૨ વર્ષથી માંડવીમાં સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે, દાતા પરિવાર કચ્છના વતનપ્રેમી માતુશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે:- શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી - મસ્કત-ઓમાન-માંડવી તરફથી તારીખ વીસમી જાન્યુઆરીને સોમવાર ના રોજ માંડવીના સેવામંડળના મંછારામ બાપુના વાડામાં યોજાયેલા એક સમારોહમાં માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી અને દાતાના પ્રતિનિધિ દિલીપભાઈ ટોપરાણી ના મુખ્ય મહેમાન પદે માંડવી ના જરૂરતમંદ ૧૧ બહેનોને સિલાઈ મશીન ભેટ આપીને આત્મનિર્ભર બનાવાયા હતા.
INDEPENDENT : શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખ પદે યોજાયેલા આ સમારોહમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા, માંડવીના દાતા અને અગ્રણી સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર, ઉધોગપતિ વસ્તુપાલ જૈન, સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ગોધરા અંબેધામ પરિવારના દાતા વસંતભાઈ નાગડા, વર્ષાબેન નાગડા, વિણાબેન જૈન, નિતીનભાઇ ચાવડા, હસમુખભાઈ ઠક્કર, કૈલાશભાઈ ઓઝા, કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમાર વગેરેના હસ્તે ૧૧ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા હતા.
INDEPENDENT : પ્રમુખ સ્થાનેથી અરવિંદભાઈ જોશી એ જણાવ્યું હતું કે, કચ્છના વતન પ્રેમી દાતાઓ માત્ર મોબાઇલ દ્વારા મોકલાવેલ મેસેજ વાંચીને દાન આપે છે તે આનંદની વાત છે. તેમણે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી, આવનારા સમયમાં મહિલાઓને સિલાઈ મશીન આપવાનું ચાલુ રખાશે તેમ જણાવ્યું હતું. તેમણે આ પ્રવૃત્તિમાં માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ ખૂબ સહકાર આપે છે તેમ જણાવી શ્રી શાહને અભિનંદન પાઠવ્યા હતા. માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી પણ ખૂબ જ વ્યસ્તતાની વચ્ચે પણ સિલાઈ મશીનના લોકાપર્ણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહન આપે છે તે બદલ તેમનો પણ અરવિંદભાઈ જોશી એ આભાર માન્યો હતો.
INDEPENDENT : માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી, મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, માંડવી ના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સિલાઈ મશીનના દાતા વતન પ્રેમી ટોપરાણી પરિવારની દિલેરીને બિરદાવી બહેનોને સિલાઈ મશીન નો સદઉપયોગ કરવા અનુરોધ કરેલ હતો.
પ્રારંભમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી શ્રી દિનેશભાઈ મણીલાલ શાહે સૌને આવકાર આપી દાતા પરિવારનો આભાર માની, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા ના પ્રમુખ અરવિંદભાઈ જોશી છેલ્લા ૨૬ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે દાતા નો આર્થિક સહયોગ મેળવવામાં ભાગ્યશાળી થયા છે તે કચ્છ માટે ગૌરવની વાત છે તેમણે અરવિંદભાઈ જોશીને સેવાના ભેખધારી ગણાવ્યા હતા.
પૂજ્ય નરેશમુની મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ શ્રી જયેશભાઈ જી. શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ગોધરા હાઇસ્કુલના નિવૃત્ત આચાર્યશ્રી નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કરેલ હતું.
સેવાભાવી શૈલેષભાઈ મિઠાવાલા, રમણીકભાઈ સલાટ અને સેવામંડળના દિપકભાઈ સોની સહયોગી રહ્યા હતા.
આ પણ વાંચો : DUBAI : દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે અમીરાત નવુ એરક્રાફ્ટ A350 શરૂ કરશે
INDIAN SOCIOLOGIST