THE INDIAN SOCIOLOGIST

MANDVI-KUTCH : બે દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી એ માંડવી તાલુકાના બે દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરીને 2025 ના નવા વર્ષને બુધવારના આવકાર આપ્યો.



MANDVI-KUTCH : માંડવીમાં છેલ્લા 32 વર્ષથી દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૫ ને બુધવારના રોજ માંડવી તાલુકાના નવા જામથડા ગામના 75% વિકલાંગતા ધરાવતા છાભૈયા નિલેશભાઈ કરસન અને માંડવીના ૬૦ ટકા દિવ્યાંકતા ધરાવતા મારવાડી રામીબેન મદનભાઈ ને ટ્રાયસિકલ અર્પણ કરીને 2025 ના નવા વર્ષ ને આવકાર આપીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે.

MANDVI-KUTCH : બુધવારે સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા ના પ્રમુખ સ્થાને યોજાયેલા એક કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી, મુખ્ય મહેમાન પદે સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, રમતગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક, સહમંત્રી સુલતાનભાઈ મીર અને ડો. આદિત્યભાઇ ચંદારાણાના હસ્તે બંને દિવ્યાંગોને ટ્રાયસિકલ ભેટ અપાઈ હતી.

MANDVI-KUTCH : પ્રારંભમાં સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે સૌને આવકારી જણાવ્યું હતું કે, આ સંસ્થાએ અત્યાર સુધી કચ્છના કુલ 471 દિવ્યાંગોને ટ્રાયસિકલ દાતાશ્રીઓના સહયોગથી આપેલ છે.

MANDVI-KUTCH : મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી શ્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોના કાર્યો માટે આ સંસ્થા હમેશા કાર્ય કરતી રહેશે.

MANDVI-KUTCH : ટ્રાયસિકલ ના લાભાર્થી નવા જામથડાના છાભૈયા નિલેશભાઈએ જણાવ્યું હતું કે, હું ટ્રક એકસીડન્ટમાં દિવ્યાંગ બન્યો છું અને આ સંસ્થાએ મને ટ્રાયસિકલ ભેટ આપતા હું ન્યુઝ પેપર નું વિતરણ સારી રીતે કરી શકીશ. તેમણે સંસ્થાનો અને ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.

MANDVI-KUTCH : પ્રમુખ સ્થાને સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, 2025 ના વર્ષમાં આ સંસ્થા સંચાલિત છાત્રાલયમાં પ્રવેશ પામેલ છાત્રાઓના સગપણ લગ્ન કે અન્ય કાર્યો માટે અલગ ફંડ એકઠું કરશે જેથી દિવ્યાંગ કન્યાઓના માતા-પિતાને રાહત રૂપ થશે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST