BHACHAU : ગુરુવારે કટારીયા તીર્થમાં
જૈનાચાર્ય અનંતયશ સુરીશ્વરજી મહારાજા ની પ્રથમ માસિક પુણ્યતિથિ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે.
BHACHAU : ભચાઉ તાલુકાના કટારીયા તીર્થ મધ્યે આવતીકાલે તા. ૦૨/૦૧ને ગુરૂવારના રોજ જૈનાચાર્ય શ્રી અનંતયશ સૂરીશ્વરજી મહારાજા ની પ્રથમ માસિક પુણ્યતિથિ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે.
BHACHAU : પૂજ્ય ગુરુદેવ પન્યાસ પ્રવર શ્રી અનંતજ્ઞાન વિજયજી મહારાજ સાહેબ, કાર્ય કુશળ મુનિરાજ અનંતદર્શન વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય અનંતચારિત્ર વિજયજી મહારાજા સાહેબ, અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબ અને અનંતશ્રુત વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં જૈનાચાર્યશ્રી ના સંસારી પરિવાર અને ગુરુભક્તોના સૌજન્યથી તા. ૦૨/૦૧ને બુધવારના પરમાત્માનો અભિષેક, ગુણાનુંવાદ, સામાયિક જાપ, જીવદયા નો કાર્યક્રમ, સમૂહઆરતી અને સામાજિક પ્રતિક્રમણ જેવા ધાર્મિક અનુષ્ઠાનોથી જૈનાચાર્ય શ્રી અનંતયશ સૂરીશ્વરજી મહારાજાની પ્રથમ માસિક પુણ્યતિથિ ઉજવનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : White Rann : માંડવી શહેરની ચાર સરકારી શાળાઓના બાળકોએ માણ્યો ધોરડોનો પ્રવાસ.
INDIAN SOCIOLOGIST