માંડવી માં મામલતદાર સાહેબની કચેરી દ્વારા શનિવારે "રાષ્ટ્રીય મતદાતા દિવસ "ઉલ્લાસભેર ઉજવાયો.

2024 ની સાલમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી ભાઈ - બહેનોનું અભિવાદન કરાયું.
MATADATA DIN : બંદરીય માંડવી શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૫ મી જાન્યુઆરીને શનિવારના રોજ "રાષ્ટ્રીય મતદાતા દિવસ" ઉલ્લાસભેર ઉજવાયો હતો.
મામલતદાર કચેરીના સભાખંડમાં માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી ના પ્રમુખ સ્થાને અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક અગ્રણી શ્રી દિનેશભાઈ મણીલાલ શાહ તથા નાયબ મામલતદાર પ્રેમજીભાઈ સંઘાર ( મતદાર યાદી ) ના અતિથિ વિશેષ પદે કાર્યક્રમ યોજાયો હતો.
MATADATA DIN : મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી એ દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, 1950 માં ભારતીય ચૂંટણી પંચની રચના થયેલ છે. તેમણે 100 (એક સો) ટકા મતદાન થાય અને મતદાર યાદીમાં નોંધણી માં કોઈ બાકી ન રહી જાય તેનો અનુરોધ કર્યો હતો. તેમણે માંડવી તાલુકાના બી. એલ.ઓ. ની સુંદર કામગીરી ની સરાહના કરી હતી.
અતિથિ વિશેષ પદે થી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે,ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર 2011 ની સાલ થી દેશમાં" રાષ્ટ્રીય મતદાતા દિવસ "ઉજવવામાં આવે છે. તેથી માંડવી માં આજે 15 મો રાષ્ટ્રીય મતદાતા દિવસે સુંદર કાર્યક્રમ રાખવા બદલ મામલતદાર કચેરીની સરાહના કરી હતી.
પ્રારંભમાં મતદાર યાદી ના ઓપરેટર મયુરભાઈ મહેશ્વરીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની રૂપરેખા સિકંદર ભાઈ ડાભી એ આપી હતી.
MATADATA DIN : આ પ્રસંગે મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી નું જયેશભાઈ ભેદા ના હસ્તે,નાયબ મામલતદાર (મતદારયાદી) નું સન્માન પ્રકાશચંદ્ર નાથાણી ના હસ્તે અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહ નું મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી ના હસ્તે શાલ ઓઢાડીને અભિવાદન કરાવ્યું હતું.
MATADATA DIN : આ પ્રસંગે 2024 ના વર્ષમાં એસ.એસ.આર. માં શ્રેષ્ઠ કામગીરી કરનાર વનિતાબેન શિયાણી, જુલીબેન સેંઘાણી અને મુકેશભાઈ રોજાસરા નું, વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સુલતાન મારા, જીવરાજ ગઢવી અને ખુશ્બુબેન શિયાળવાલા તથા સાતત્યપૂર્ણ શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રવીણભાઈ ભાલૈયા, યોગેશચંદ્ર ભટ્ટ,કરસનભાઈ પુરબીયા અને કૈલાશભારથી ગોસ્વામીનું મામલતદાર સાહેબ વિનોદભાઈ ગોકલાણી,નાયબ મામલતદાર (મતદાર યાદી) પ્રેમજીભાઈ સંઘાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના હસ્તે મોમેન્ટો એનાયત કરી અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે દિનેશભાઈ શાહે કાર્યક્રમમાં ઉપસ્થિતોને મતદાન સંબંધી પ્રતિજ્ઞા લેવડાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ ભેદાએ કરેલ હતું જ્યારે મયુરભાઈ મહેશ્વરીએ આભાર દર્શન કરેલું હતું.