THE INDIAN SOCIOLOGIST

SARVAJANIK SAMAJVADI : કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી ની અંજાર મધ્યે ખાતમુર્હુત - પાયાવિધિ કરવામાં આવી

SARVAJANIK SAMAJVADI : કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી ની અંજાર મધ્યે ખાતમુર્હુત - પાયાવિધિ કરવામાં આવી


દાતાઓ દ્વારા ૧ કરોડ જેટલી માતબર રકમ ની ધનવર્ષા


હિન્દુ - મુસ્લિમ સમાજ ને એક સ્ટેજ ઉપર લાવવા પીર સૈયદ કૌશરઅલી બાપુ ને સમાજો દ્વારા અભિનંદન પાઠવાયા

અંજાર મધ્યે પીર ગરીબુલ્લાહ સાંઈ એન્ડ પીર સૈયદ ઝાહીદશાહ ઇનાયતુલ્લાહશાહ સાર્વજનિક વક્ફ ટ્રસ્ટ સંચાલિત કચ્છ ની પ્રથમ ફૈઝે પંજતન સાર્વજનિક સમાજવાડી નાં ઈમારત ની પાયાવિધિ (ખાતમુર્હુત) તેમજ કોમીએકતા , માનસ-મોહબ્બત સદભાવના કાર્યક્રમ નું સુફી બુઝૂર્ગ અને ઈસ્લામિક વિદ્વાન પીર સૈયદ દાદા બાપુ કાદરી જીલાની (જેતપુર) તેમજ ગુજરાત ની પ્રથમ નંદીશાળા નાં સ્થાપક અને સચ્ચિદાનંદ સંપ્રદાય નાં ગાદીપતી મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ નાં અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.

પીર ગ.ઝા.ઈ. શાહ સાર્વજનિક વક્ફ ટ્રસ્ટ ની સ્થાપના સન. ૧૯૯૨ માં સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશાહ બાપુ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ નો ઉદ્દેશ કોઈ કોમ , નાતજાત કે ધર્મ નાં ભેદભાવ વિના સમાજ ની સાર્વજનિક સેવા કરવાનો હતો. આ ટ્રસ્ટ નાં માધ્યમ થી અનેકે અનેક સેવાકીય પ્રવુતિઓ થઈ રહી છે જેવી કે , જરૂરતમંદ વિદ્યાર્થીઓ ને નોટબુક વિતરણ , નિઃશુલ્ક ટ્યૂશન ક્લાસ , વિદ્યાર્થીઓ ને સ્વેટર વિતરણ , જરૂરતમંદ લોકો ને ધાબળા વિતરણ , તેમજ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ને લગતા કાર્યો કરવામાં આવે છે. પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશાહ બાપુ એક એવી મહાન હસ્તી હતા કે જેઓને સમગ્ર કચ્છ માં કોમીએકતા નાં મસીહા માનવામાં આવતા હતા.

SARVAJANIK SAMAJVADI : સદરહુ વક્ફ ટ્રસ્ટ દ્વારા આજરોજ સાર્વજનિક સમાજવાડી નાં ખાતમુર્હુત - પાયાવિધિ નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. જેમાં સંતો - મહંતો , સૈયદ સાદાતો , ઉલમા એ કિરામ , વિવિધ ધર્મો નાં ધર્મગુરુઓ , સામાજિક તેમજ રાજકીય આગેવાનો , વિવિધ સંસ્થાઓ નાં મહાનુભાવો તેમજ હિન્દુ - મુસ્લિમ સમાજ નાં ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ ની શરૂઆત રાષ્ટ્રગીત , તીલાવત એ કુરઆન તેમજ સર્વધર્મ પ્રાર્થના થી કરવામાં આવી હતી.

કાર્યક્રમ માં વક્તાઓ દ્વારા પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ ની કામગીરી અને સેવાઓ ની પ્રસંશા કરી શ્રદ્ધાંજલિ પાઠવી તેમના સુપુત્ર પીર સૈયદ કૌશરઅલી બાપુ નાં નેજા હેઠળ ટ્રસ્ટ દ્વારા હાલ જે કચ્છ ની પ્રથમ સાર્વજનિક સમાજવાડી નું નવનિર્માણ કરવામાં આવશે તે કાર્ય ને બિરદાવી તન મન અને ધન થી સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી.

SARVAJANIK SAMAJVADI :કાર્યક્રમ નાં અધ્યક્ષ પીર સૈયદ દાદા બાપુ કાદરી જીલાની એ પોતાના પ્રવચન માં કોમીએકતા નાં પ્રતીક પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ ને યાદ કરી એમનું સપનું સાકાર તેમના સુપુત્ર પીર સૈયદ કૌશરઅલી બાપુ કરવા જઈ રહ્યા છે તે જોઈ આનંદ ની લાગણી વ્યક્ત કરી વધુ માં તેમણે જણાવ્યું હતું કે , અત્યારે સમાજ માં એક વર્ગ નફરત ફેલાવી રહ્યો છે. તે નફરત નો જવાબ મોહબ્બત થી આપી અને તે નફરત ની ગંદગી ને મોહબ્બત નાં પાણી થી સાફ કરવી જોઈએ.આ સાથે સાર્વજનિક સમાજવાડી નાં કાર્ય માં દરેક સમાજ ને આગળ આવી સમાજવાડી નો કાર્ય જલ્દી થી પૂર્ણ થાય તેવી દુઆ કરી સાર્વજનિક સમાજવાડી નાં કાર્ય ને બિરદાવ્યું હતું.

મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે સાર્વજનિક સમાજવાડી નાં કાર્ય ને બિરદાવી તમામ સમાજો ને સાથ સહકાર આપવા જણાવ્યું હતું...

રામસખી મંદિર અંજાર નાં મહંત શ્રી કીર્તિચંદજી મહારાજે સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ સમસ્ત સમાજો નાં દુઆગીર પીર હતા તેવું જણાવી પીર સૈયદ કૌશરઅલી બાપુ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો ને બિરદાવી સાર્વજનિક સમાજવાડી નું નવનિર્માણ જલ્દી પૂરો થાય તેવા આશિષ પાઠવ્યા હતા.

SARVAJANIK SAMAJVADI :પીર સૈયદ આશીફશાહ અ. રઉફશાહ બાપુ , ભાગવતચાર્ય અને જાણીતા ધારાશાસ્ત્રી દિનેશભાઈ રાવળે અને લાલા મહારાજે કૌશરઅલી બાપુ ને અભિનંદન પાઠવી મખદુમઅલી બાપુ નાં માર્ગે ચાલી સમાજ સેવા કરવા આશિષ પાઠવ્યા હતા.

કચ્છ મોરબી નાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા , પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર , ગુ. વિધાનસભા નાં પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય , ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા , વીરેન્દ્રસિંહ જાડેજા , અનિરુદ્ધભાઈ દવે , પ્રધ્યુમનસિંહ જાડેજા , કેશુભાઈ પટેલ , માલતીબેન મહેશ્વરી તેમજ મહાનુભાવો દ્વારા શુભેચ્છા સંદેશાઓ પાઠવાયા હતા.

કાર્યક્રમ માં વિવિધ મહાનુભાવો નાં પ્રવચનો..

જિલ્લા નાં પૂર્વ સાંસદશ્રી પુષ્પદાનભાઈ ગઢવી એ જણાવ્યું હતું કે આજે કચ્છ માં જે કોમીએકતા અને સદભાવના છે તેનાં માટે સમસ્ત કચ્છ પીર સૈયદ હાજીમખદુમઅલી બાપુ ને આભારી છે તેમની સેવાઓ ને યાદ કરી સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ ને બિરદાવ્યું હતું..

ક્ષત્રિય સમાજ નાં આગેવાન શ્રી સજ્જનસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ઈસ્લામ નાં મહાન પયગમ્બર સાહેબ સમગ્ર સૃષ્ટિ માટે 'રહમતુલ્લીલ આલમીન' બની ને આવ્યા હતા. દુનિયા નાં દરેક વ્યક્તિ ની ધર્મ નાં ભેદભાવ વિના સેવા કરવી જોઈએ તેવું જણાવી સમાજવાડી નાં નવનિર્માણ માં સહભાગી બનવા જણાવ્યું હતું.

મહેશ્વરી સમાજ નાં ધર્મગુરૂ એ આ સાર્વજનિક સમાજવાડી નો સારો કાર્ય જલ્દી થી પૂર્ણ થાય તે માટે દાતાઓ ને આગળ આવવા અપીલ કરી ટ્રસ્ટ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

SARVAJANIK SAMAJVADI :શિફા હોસ્પિટલ નાં ચેરમેન હાજીઆદમભાઈ ચાકી એ પોતાના પ્રવચન માં ઈસ્લામ માં તુમ જમીન વાલો પર રહેમ કરો આસમાન વાલા તુમ પર રહેમ કરેગા તેવું જણાવી એકતા અને ભાઈચારા સાથે માનવ સેવા કરવા જણાવ્યું હતું.

સૈયદ સમાજ નાં યુવા આગેવાન અને મેડિકલ ગ્રુપ નાં પ્રમુખ પીર સૈયદ અનવરશા બાપુ (રાપરવાલા) એ કોઈ પણ ધર્મ નાં વ્યક્તિ નું દિલ તોડવું એ સૌથી મોટુ પાપ અને ગુનો છે તેવું જણાવી સમાજ નાં દરેક વ્યક્તિ નાં દિલ ને જોડવા નાં કાર્ય કરવા જણાવી સમાજવાડી નાં કાર્ય માં ટ્રસ્ટ સાથે ખડેપગે સાથ સહકાર આપવા જણાવ્યું હતું.

પરશુરામ સેના નાં પ્રદેશ પ્રમુખ ડો. જેનીલ ગોરે જણાવ્યું હતું કે જો સમાજ નાં ૫ સૈયદો અને ૫ મહારાજો ભેગા થઈ સમાજ માં ઉભા રહે તો કોઈ તાકાત ભાઈચારા ને તોડી શકે નહીં.

અંજાર વિરોધપક્ષ નાં નેતા રાજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે , સમાજ નાં નાના વર્ગ ને દરેક પ્રસંગે કામ આવવું એજ સાચી સેવા છે. આ સાર્વજનિક સમાજવાડી મધ્યમ વર્ગ નાં લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થશે.

કચ્છ જિલ્લા આહીર સમાજ નાં અગ્રણી વી.કે.હુંબલે કોમીએકતા અને ભાઈચારા સાથે હિન્દુ મુસ્લિમ ખંભે થી ખંભા મિલાવી ને કાર્ય કરવા જણાવ્યું હતું.

જાણીતા એડવોકેટ ગુલામશા શેખે પીર સૈયદ કૌશરઅલી બાપુ એ અંજાર ની મુસ્લિમ સમાજ ને સાથે રાખી , સાર્વજનિક સમાજવાડી હિન્દુ મુસ્લિમ સમાજે જે સાથ સહકાર આપવાની ખાત્રી આપેલ તે બદલ તમામ સમાજો ને અભિનંદન પાઠવ્યા હતા.

પીર સૈયદ કાસમશા અભામિયા એ સમાજવાડી નાં નવનિર્માણ માટે તેમજ હિન્દુ મુસ્લિમ સમાજ ને એક સ્ટેજ ઉપર લાવવા પીર સૈયદ કૌશરઅલી બાપુ ને અભિનંદન પાઠવી પીર સૈયદ મખદુમઅલી બાપુ ની સેવાઓ ની યાદ અપાવી હતી.

SARVAJANIK SAMAJVADI :મૌલાનાં અબુદુજાના સાહેબે કહ્યું હતું કે , વિશ્વમાં જો આપણ ને ઇઝ્ઝત સાથે મહાસતા બનવું હશે તો , આપણ બધા ને એક થઈ એકતા સાથે પોતાની તાકાત બતાડવી પડશે. એકતા માં જ તાકાત છે તેવું જણાવી સાર્વજનિક સમાજવાડી નાં કાર્ય બદલ પીર કૌશરઅલી બાપુ ને અભિનંદન સાથે દુઆઓ પાઠવી હતી.

સતાપર નાં પૂર્વ સરપંચ દિનેશભાઈ માતા તેમજ હાજર મહાનુભાવો એ હિન્દુ મુસ્લિમ એક સાથે આવી આવા દરેક સાર્વજનિક કાર્ય કરવા અનુરોધ કરી દરેક કાર્ય માં સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

ટ્રસ્ટ નાં પ્રમુખ પીર સૈયદ કૌશરઅલીશાહ બાપુ એ ગરીબ , યતીમ અને જરૂરતમંદ લોકો માટે આ સમાજવાડી તદ્દન ફ્રી આપવામાં આવશે તેમજ સાર્વજનિક સમાજવાડી ની જે આવક થશે તે જરૂરતમંદો નાં એજ્યુકેશન સંદર્ભે વાપરવા માં આવશે , વિધાર્થીઓ ને જોબ સુધી પોંહચાડવા સુધી ટ્રસ્ટ કાર્ય કરશે તેવા ઠરાવ પસાર કરાવ્યા હતા. આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ લોકો એ બાપુ નાં આ નિર્ણય ને આવકાર આપ્યો હતો..

કાર્યક્રમ દરમિયાન ૧ કરોડ જેટલી માતબર રકમ ની દાતાઓ દ્વારા સાર્વજનિક સમાજવાડી નાં નવનિર્માણ માટે ચાલુ પ્રોગ્રામ માં જાહેરાત કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મૌલાના હાજીઅબ્બાસ બુખારી , દાઉદભાઈ ખત્રી (ગાંધીધામ) તેમજ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા પીર સૈયદ કૌશરઅલી બાપુ નું શાલ થી સન્માન કરવામાં આવ્યું હતું.

SARVAJANIK SAMAJVADI :કાર્યક્રમ માં અંજાર ની હિન્દુ મુસ્લિમ સમાજો નાં ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા હિન્દુ મુસ્લિમ યુવાનો , રાયમા યુથ સર્કલ , ઉમ્મત ચેરિ. ટ્રસ્ટ એ જહેમત ઉઠાવી હતી.. કાર્યક્રમ ની આભારવિધિ ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટી અને પ્રમુખ પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુ એ કરી હતી. કાર્યક્રમ નું સંચાલન સૈયદ લતીફશા બાપુ (સિનોગ્રાવાલા) તેમજ સલીમભાઈ રાયમા (પ્રમુખ , રાયમા યુથ સર્કલ) દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST