26th JANUARY 2026 : માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલયમાં 76 મો પ્રજાસત્તાક દિન આન-બાન અને શાન થી ઉત્સાહભેર ઉજવાયો.
26th JANUARY 2026 : અંધ,અપંગ, મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 32 વર્ષથી સતત કાર્યરત સંસ્થા "અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી" સંચાલિત અને 2015 ના વર્ષથી કાર્યરત "વિકલાંગ કન્યા છાત્રાલય" (પાંજરાપોળ સામે, નાગલપર રોડ) માં 76 મો પ્રજાસત્તાક દિન આન-બાન અને શાન થી ઉત્સાહભેર ઉજવાયો હતો.
26th JANUARY 2026 : આ પ્રસંગે શાંતિલાલભાઈ ગણાત્રા,ડૉ. ચંદ્રકાંતભાઈ ચોથાણી, સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહ,રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક, ટ્રસ્ટી ડૉ. આદિત્યભાઈ ચંદારાણા, ટી વી સીરીયલ ના નિર્માતા અને દિગ્દર્શક શૈલેષભાઈ ઠક્કર (અમદાવાદ) અને સચિનભાઈ કાયલિયા એ પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કરેલ હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સંચાલિત કામધેનુ પ્રાથમિક શાળાના 50 વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તે તમામ પ્રત્યેક વિદ્યાર્થીને 50 - 50 રૂપિયાના રોકડ ઈનામો સંસ્થા તરફથી અપાયા હતા.
26th JANUARY 2026 : સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહ અને સ્વ.દિપ દિનેશભાઈ શાહની સ્મૃતિમાં માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતા તરફથી સાટા ની પ્રભાવના કરવામાં આવી હતી.
આ પ્રસંગે સહ ખજાનચી અશ્વિનભાઈ ગજરા,છાત્રાલયના ગ્રહમાતા પ્રવિણાબેન, શૈલેષભાઈ મીઠાવાલા, પાચુભા સોઢા અને પૂનમબેન સોની સહયોગી રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કર્યું હતું જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કરેલું હતું.
26th JANUARY 2026 : આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ટીવી સીરીયલ ના નિર્માતા અને દિગ્દર્શક શૈલેષભાઈ ઠક્કર, સચીનભાઈ કાયલીયા અને દીપકભાઈ જોશીનું સંસ્થાના હોદ્દેદારોના હસ્તે શાલ ઓઢાડીને અભિવાદન કરાવ્યું હતું.
આ પણ વાંચો : MATADATA DIN : માંડવી માં મામલતદાર સાહેબની કચેરી દ્વારા શનિવારે "રાષ્ટ્રીય મતદાતા દિવસ "ઉલ્લાસભેર ઉજવાયો.
INDIAN SOCIOLOGIST