180 વર્ષના ઇતિહાસ બાદ તેરાપંથના આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબનું માંડવીમાં રવિવારે બે દિવસ માટે આગમન થયું
પક્ષપાત અને દ્વેષભાવ નો ત્યાગ કરી સાચું બોલવા પર ભાર મુકતા તેરાપંથ જૈન સંઘ ના આચાર્ય મહાશ્રમણ જી મહારાજ સાહેબ
માંડવીના દાદાવાડીથી સામૈયા માં સામેલ થવા માંડવીના પાંચેગચ્છ ના ભાવીકો આગવા ડ્રેસકોડ અને રંગબેરંગી ડ્રેસ માં ભાવિકો ઉમટી પડ્યા
બંદરીય માંડવી શહેરમાં 180 વર્ષના ઇતિહાસ બાદ તેરાપંથ જૈન સંઘના આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો અંદાજે 100 જેટલા સંખ્યામાં બે દિવસ માટે પધારતા માત્ર તેરાપંથ જ નહીં પરંતુ માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છમાં ખુશીની લહેર ફેલાઈ છે
માંડવીના દાદાવાડી થી સામૈયામાં સામેલ થવા માટે માંડવીના પાંચે ગરછ ના ભાવિકો આગવા ડ્રેસ સાથે, બહેનો બાંધણી, રંગબેરંગી સાડી અને ડ્રેસમાં ઉમટી પડ્યા હતા
દાદાવાડી થી સવારના 10:00 વાગ્યે પ્રસ્થાન થયેલા સામૈયામાં " ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ " "જય જય મહાશ્રમણજી" "આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે " સોના કરતાં મોંઘું શું ? સંયમ સંયમ. જેવા ધાર્મિક નારાથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું. જૈન પુરીમાં પહોંચતા જૈન સંમેલન જેવો માહોલ સર્જાયો હતો
જૈન પુરીના પટાંગણમાં શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથ સભા માં સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા તેરાપંથ જૈન સંઘના 11 માં આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે,પક્ષપાત અને ધ્વેશભાવ નો ત્યાગ કરી સાચું બોલતા શીખો. તેમણે સમ્યક-જ્ઞાન-દર્શન અને ચારિત્રની વિગતે સમજ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે," અહિંસામાં વિશ્વાસ કરે તે જૈન છે ". જીવનમાં શક્તિ હોય તો તે વિશેષ કરી શકે છે. જો શક્તિ ન હોય તો તેના માટે કોઈપણ કાર્ય કરવું મુશ્કેલ અને દુર્લભ છે. માણસે પોતાની શક્તિનો દુરુપયોગ ટાળવો જોઈએ. માંડવીમાં તપગચ્છ જૈન સંઘ,અચલગચ્છ જૈન સંઘ, ખરતર ગચ્છ જૈન સંઘ, આઠકોટી મોટી પક્ષ જૈન સંઘ, છ કોટી જૈન સંઘ, આઠ કોટી નાની પક્ષ જૈન સંઘ, અને તેરાપંથ જૈન સંઘ એમ જૈનોના સાત ફીરકા છે. બધા સંઘની એકતા ને આચાર્યશ્રીએ સરાહના કરી હતી. ભગવાન મહાવીર સ્વામીજીએ ચાર તીર્થ સાધુ - સાધ્વી - શ્રાવક અને શ્રાવિકા હોવાનું જણાવી દરેક સાથે મૈત્રી ભાવ રાખવા જણાવેલ હતું. માંડવીમાં નદી સમુદ્રમાં મળી ગઈ છે તેમ બધા એકબીજામાં ભળી ગયા છે અને ભાઈચારા થી રહે છે તેમ જણાવેલ હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ જયેશભાઈ જી. શાહે જણાવેલ હતું.
પ્રારંભમાં માંડવી તેરાપંથ જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ વાડીલાલભાઈ દોશી એ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, 180 વર્ષ પછી માંડવીમાં આચાર્યશ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ વિશાળ કાફલા સાથે પ્રવેશ કરતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે માંડવીના તમામ જૈન સંઘોએ આપેલ સાથ સહકાર બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. તેરાપંથ જૈન સંઘના બહેનોએ ભાવવાહી સ્વાગત ગીત રજૂ કરતા સૌ ભાવવિભોર બની ગયા હતા.
આ પ્રસંગે 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પરમ પૂજ્ય અર્ચના બાઈ મહાસતી આદિ ઠાણા - 4 ની નિશ્રા પ્રાપ્ત થઈ હતી.
આ પ્રસંગે તેરાપંથ જૈન સંઘના વિદ્વાન પ્રખર વક્તા દિનેશ મુનિ મહારાજ સાહેબ અને સાધ્વીજી વિશ્રુત વિભાશ્રીજી એ પણ જીનવાણીથી લોકોને ભાવવિભોર કરી દીધા હતા.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ પણ તેરાપંથના આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબ બે દિવસ માટે માંડવી પધાર્યા તે બદલ ખુશી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, પ્રયાગરાજ માં કુંભ મેળો ભરાયો હતો તેવો માહોલ માંડવીમાં આજે સર્જાયો છે. તેમણે સંતને હરતા ફરતા તીર્થની ઉપમા આપી હતી તેમણે લોકોની વધુ સેવા કરી શકવા આચાર્ય મહારાજ સાહેબના આશીર્વાદ માંગ્યા હતા.
આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી નું સન્માન કરાયું હતું.
શનિવારે તેરાપંથ જૈન સંઘ તરફથી માંડવીની જૈનપૂરીમાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છના સ્વામી વાત્સલ્ય નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
આ પ્રસંગે માંડવી જૈન સમાજ (બે નાત ) ના પ્રમુખ મેહુલભાઈ શાહ, આચાર્ય મહાશ્રમણજી મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના પ્રમુખ કિર્તીભાઈ સંઘવી (ભુજ ), આઠ કોટી મોટી પક્ષ ના મહાસંઘ ના પ્રમુખ વિનોદભાઈ મહેતા, ભુજ ના અગ્રણી મહેશભાઈ મહેતા, માંડવીના આગેવાનો સર્વશ્રી ચંદ્રેશભાઇ શાહ, મયુરભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શાહ, અશોકભાઈ શાહ, દિનેશભાઈ મણીલાલ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ સંઘવી, કિરણભાઈ સંઘવી, ભરતભાઈ ડગારા વાળા, જીતેન્દ્રભાઈ દોશી , માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વાડીલાલ ભાઇ દોશી, પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી, નગરપાલિકાના સત્તા પક્ષના નેતા લાંતિક ભાઈ શાહ, નગરસેવક પારસભાઈ સંઘવી, વસંતભાઈ સંઘવી, હીરજીભાઈ કારાણી, શાંતિલાલભાઈ ગણાત્રા, અમિશ ભાઈ સંઘવી, પુનિતભાઈ ભાછા, સંજયભાઈ મહેતા, રાહુલભાઈ સંઘવી, નરેન ભાઈ સોની, ખેરાજભાઈ ગઢવી, વિનય ભાઈ ટોપરાણી, સાયકલ ક્લબના સભ્યો, બેંગ્લોર તેમજ કચ્છના ગામેગામ થી સેકડો શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહીને પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા હતા
આ પણ વાંચો : MANDVI BEACH CITY : માંડવી શહેરના ૪૪૫ માં સ્થાપના દિનની ઉજવણી
INDIAN SOCIOLOGIST