THE INDIAN SOCIOLOGIST

JAIN : શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ માં સમગ્ર ભારતમાં પી.એચ.ડી. માં પ્રથમ નંબરે આવવા બદલ ડૉ. રોનિત પુષ્પકાંતભાઈ શાહ નું મુંબઈમાં સન્માન

JAIN : શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ માં સમગ્ર ભારતમાં પી.એચ.ડી. માં પ્રથમ નંબરે આવવા બદલ ડૉ. રોનિત પુષ્પકાંતભાઈ શાહ નું મુંબઈમાં ગોલ્ડ મેડલ અને સન્માન પત્ર એનાયત કરી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા (પાખાડી) મુંબઈ એ સન્માન કર્યું.


મૂળ મંજલ (તા.નખત્રાણા) ના અને વર્ષો સુધી માંડવી રહેતા પરંતુ હાલમાં વર્ધમાન નગર (ભુજોડી) રહેતા શ્રીમતી રેખાબેન પુષ્પકાંતભાઈ શાહ અને પુષ્પકાંતભાઈ પોપટલાલ શાહ ના સુપુત્ર ડૉ.રોનિત પુષ્પકાંતભાઈ શાહ સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવી ને મંજલ (તા. નખત્રાણા), માંડવી તપગચ્છ જૈન સંઘ તથા વર્ધમાન નગર (ભુજોડી )જૈન સમાજનું ગૌરવ વધારવા બદલ તેજસ્વી અને સેવાભાવી ડૉ. રોનિત પુષ્પકાંતભાઈ શાહ ને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

JAIN : શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા (પાંખાડી )દ્વારા મુંબઈમાં યોજાયેલા અખિલ ભારતીય શિક્ષણ સન્માન સમારોહમાં તાજેતરમાં 26 જાન્યુઆરીના 76 માં પ્રજાસત્તાક દિને વર્ધમાન નગર (ભુજોડી) નિવાસી ડૉ.રોનિત પુષ્પકાંતભાઈ શાહ નું ગોલ્ડ મેડલ અને સન્માન પત્ર એનાયત કરી શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજ માટુંગા (પાખાડી )મુંબઈના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ કુબડીયા ના હસ્તે જાહેર સન્માન કરાયું હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ તથા સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

JAIN : ભુજના જાણીતા ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર ડૉ. રોનિત પુષ્પકાંતભાઈ શાહ કચ્છી જૈન ગુર્જર સમાજ માં ડોક્ટર ઓફ ફિલોસોફી માં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવેલ છે. આ પહેલા પણ બી.કોમ., એમ.બી.એ., એલ.એલ.બી. અને એલ. એલ.એમ. કરી ચૂક્યા છે. સાથો સાથ 2024 ની સાલમાં કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ એજ્યુકેશન -2024 મેળવવા પણ ભાગ્યશાળી બન્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ડૉ.રોનિત શાહ સાયબર ક્રાઇમ ના કેસ નાત જાતના ભેદભાવ વગર બધી જ્ઞાતિના લોકો માટે નિઃશુલ્ક લડે છે. આમ ડૉ.રોનિત શાહ સેવાભાવી પણ છે.તેણે માકપટ જૈન સમાજનું પણ ગૌરવ વધારેલ છે.

JAIN : ડૉ .રોનિત શાહે ધોરણ 10 અને 12, એમ. એસ. વી.હાઈસ્કૂલ માધાપર માં,એમ.બી.એ. એલ.એલ.બી. કચ્છ યુનિવર્સિટીમાં, એલ.એલ.એમ. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત માં, પી.એચ.ડી .ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિધ્ધપુર તેમજ બીજું પી.એચ.ડી.કાયદાશાસ્ત્ર ની અંદર કરી રહ્યા છે. વોટીંગ જાગૃતતા માટે ગુજરાત ના રાજ્યપાલશ્રી ના હસ્તે સન્માન પણ થયું છે.


ડૉ .રોનિત શાહ ને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST