JAIN : જૈન ધર્મ ધ્યાન ઉપર આધારિત છે તેથી ધ્યાન કરવાથી મન ઉપર વિજય મેળવી શકાય છે : આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબ
તેરાપંથ જૈન સંઘના ૧૧ માં આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો સમર્પણ આશ્રમમાં પધાર્યા
JAIN : ગુજરાતની પવિત્ર ધરા પર પ્રથમ વખત અને જૈન શ્વેતાંબર તેરા પંથ જૈન સંઘનો ૧૬૧ મો મર્યાદા મહોત્સવ કચ્છ જિલ્લાના મુખ્યનગર ભુજમાં સંપન્ન કરીને, જૈન શ્વેતાંબર તેરા પંથ જૈન સંઘના ૧૧ માં આચાર્ય મહાશ્રમણજી મહારાજ સાહેબ માનવતાનો સંદેશ આપતા ભુજમાં ૧૭ દિવસીય પ્રવાસ દરમિયાન અનેક નવા ઇતિહાસ રચી માનવ કલ્યાણ માટે ભુજ થી પગપાળા વિહાર કરતાં કરતાં તારીખ ૨૦-૦૨ ને ગુરૂવારના સમર્પણ આશ્રમમાં પધારતા તેમને ભવ્યાતિભવ્ય રીતે આવકાર આપવામાં આવેલ હતો.
JAIN : કચ્છ આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદમુનિ અને તેમના શિષ્યો પ્રશાંતમુનિ અને સમર્પણમુની અને મહાસતીશ્રીઓ અને સાધ્વીજીઓ સાધકો સાથે આચાર્યશ્રીને લેવા ગયા હતા.
આ પ્રસંગે સંગીતાબાઇ મહાસતી આદિ થાણા- ૪ પ્રત્યે એ ભાવવાહી ગીત દ્વારા આચાર્યશ્રીનું સ્વાગત કર્યું હતું.
JAIN : આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘના કાર્યવાહક તારાચંદમુનિ મહારાજ સાહેબે સમર્પણ ધ્યાન ની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે ૪૫ દિવસ એકાંત - ધ્યાન સાધના માટે સમર્પણ આશ્રમમાં આવે છે. આ સાંભળીને આચાર્ય મહાશ્રમણજી ભારે પ્રસન્ન થયા હતા.
JAIN : યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીએ સાધકોને સંબોધતા જણાવ્યું હતું કે, ''જૈન ધર્મ ધ્યાન ઉપર આધારિત છે. ધ્યાન કરવાથી મન ઉપર વિજય મેળવી શકાય છે.'' આચાર્યશ્રી એ પણ ધ્યાન કરાવેલ હતું. આશ્રમમાં આચાર્યશ્રી એ ૪૦ મિનિટ જેટલો લાભ આપેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આશ્રમમાં તેરાપંથના શ્રમણીવર્યાશ્રી વિશ્રુતવિભાજી પણ આશ્રમમાં મુનીશ્રીના દર્શનાર્થે પધાર્યા હતા.
JAIN : સમર્પણ ધ્યાનના આચાર્ય ઉદયભાઇ વોરા (ભુજ) અને અધ્યક્ષ રીતેશભાઈ આહિર (ગાંધીધામ) એ પણ આચાર્યશ્રીનું સ્વાગત કરેલ હતું. મયુરભાઈ પટેલ, શ્યામભાઈ, વિશાભાઈ આહીર, સીમાબેન જોશી, રાજેશભાઈ પાઠક, અરવિંદભાઈ સોરઠીયા, રસિકભાઈ, લિતેશભાઈ વગેરે સાધકો પણ ઉપસ્થિત રહ્યા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ:5 લાખ નવી રોજગારી ઉભી કરવાની જાહેરાત જાણો વિગતો
INDIAN SOCIOLOGIST