MANDVI : માંડવી ની ત્રણ સેવાકીય સંસ્થા દ્વારા માંડવી માં બે કચ્છી સર્જકોનું જાહેર સન્માન કરાયું.
MANDVI : ગુજરાત સાહિત્ય અકાદમી- ગાંધીનગર દ્વારા તાજેતરમાં મોટા લાયજા ( તા. માંડવી) ના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીને કચ્છી ભાષા ના સંવર્ધનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ સાહિત્ય ગૌરવ એવોર્ડ માટે અને ભુજના ડૉ.પૂર્વીબેન ગોસ્વામી ની યુવા ગૌરવ એવોર્ડ માટે પસંદગી થવા બદલ આ બંને કચ્છી સર્જકોનું માંડવીની ત્રણ સેવાકીય સંસ્થાઓ, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા,અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી- માંડવી અને માંડવીની લોહાણા બોર્ડિંગ દ્વારા તા.19/ 2 ને બુધવારના માંડવીની લોહાણા બોર્ડિંગ માં યોજાયેલા એક શાનદાર સમારોહ માં જાહેર સન્માન કરાયું હતું.
MANDVI : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ - ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી એ દીપ પ્રગટાવી ને સમારોહ ને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, વિશ્રામ ભાઈ ગઢવી અને ડૉ.પૂર્વીબેન ગોસ્વામી એ પછી ભાષાના પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને માત્ર માંડવી કે ભુજનુ જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
માંડવીમાં 32 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચન માં સૌને આવકારી બંને એવોર્ડી ને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવા શુભેચ્છા પાઠવી હતી.
માંડવી લોહાણા બોર્ડિંગના પ્રમુખ અને માંડવી ના પૂર્વ નગરપતિ હરિશભાઈ ગણાત્રાએ પણ બને એવોર્ડી ને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પ્રગતિના એક પછી એક શિખરો સર કરવા શુભેચ્છા પાઠવી હતી.
MANDVI : માંડવીના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, અગ્રણી દાતા સોની ભરતભાઈ પુરષોત્તમ થલેશ્વર, દિનેશભાઈ નાગુ (મુંબઈ), ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, સેવાભાવી અગ્રણી રાણસીભાઈ ગઢવી તથા મહિલા અગ્રણી દમયંતીબેન બારોટે પણ વિશ્રામભાઈ ગઢવી અને ડૉ.પૂર્વીબેન ગોસ્વામી એ એવોર્ડ મેળવીને કચ્છનું ગૌરવ વધારવા બદલ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
બંને એવોર્ડી ને અર્પણ કરાયેલા સન્માન પત્ર નું વાંચન અનુક્રમે નીતિનભાઈ ચાવડા અને દમયંતીબેન બારોટે કરેલું.
MANDVI : બને એવોર્ડી ને ત્રણેય સંસ્થા તરફથી સન્માન પત્ર અને મોમેન્ટો એનાયત કરી, કચ્છી પાઘડી પહેરાવી,શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ ઉપરાંત વિશ્રામભાઈ ગઢવી અને ડૉ. પૂર્વીબેન ગોસ્વામી નું રાણસીભાઈ ગઢવી, દમયંતીબેન બારોટ, નિશાંત ભાઈ ભાટિયા, ધવલભાઈ પટેલ, દિનેશભાઈ નાગુ (મુંબઈ), વસંતભાઈ ગૌસ્વામી અને નિર્મળાબેન ગૌસ્વામી એ પણ સન્માન કરેલું હતું.
સન્માનના પ્રત્યુતરમાં વિશ્રામભાઇ ગઢવી અને ડૉ .પૂર્વીબેન ગોસ્વામી એ પોતાના સન્માન બદલ ત્રણે સંસ્થાઓનો આભાર માની, કચ્છી ભાષાના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેવા ખાત્રી ઉચ્ચારી હતી.
MANDVI : મસ્કત ગુજરાતી સમાજના પ્રમુખ અરવિંદભાઈ ટોપરાણી અને મહામંત્રી ડૉ. ચંન્દ્રકાંત ચોથાણી, ચંન્દ્રકાંતભાઈ મોતા (ગોધરા -મુંબઈ), જૈન અગ્રણી જયેશભાઈ જી.શાહ તથા સલીમભાઈ ચાકી એ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે શાંતિલાલ ગણાત્રાએ આભાર દર્શન કરેલ હતું. હસમુખભાઈ ઠક્કર, સંદીપભાઈ માલમ, મહેન્દ્રભાઈ ચોથાણી વગેરે કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ:5 લાખ નવી રોજગારી ઉભી કરવાની જાહેરાત જાણો વિગતો
INDIAN SOCIOLOGIST