THE INDIAN SOCIOLOGIST

BIRTHDAY : જન્મદિન જીવદયા અને માનવસેવા થી ઉજવાયો

BIRTHDAY : માંડવી ના જૈન અગ્રણી દિનેશભાઈ શાહનો 70 મો જન્મદિન જીવદયા અને માનવસેવા થી ઉજવાયો.


ડાયાબિટીસ નો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો.

BIRTHDAY : જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈન નુતન પ્રાથમિક શાળા નંબર -3 ના પૂર્વ આચાર્ય, માંડવી ની 33 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ના મંત્રી તથા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન ના મંત્રી અને ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહ નો 70 મો જન્મદિવસ તા. 13 /3 ને ગુરૂવાર ના રોજ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાયો હતો.આ ઉપરાંત ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો.

BIRTHDAY : માંડવી ના સોનાવાળા નાકા પાસે આવેલા કિરણ ક્લિનિક માં જૈન અગ્રણી જયેશભાઈ જી. શાહ ના હસ્તે દીપ પ્રગટાવીને ડાયાબિટીસ ના મેડિકલ કેમ્પ ને ખુલ્લો મુકાયો હતો. આ કેમ્પમાં બ્લડપ્રેશર તેમજ ગ્લુકોમીટર ની મદદથી બ્લડ સુગર નું નિઃશુલ્ક ચેક કરી અપાયું હતું. સ્વાગત પ્રવચન કેમ્પ ના દાતા દિનેશભાઈ શાહે કરેલ હતું. આ કેમ્પનો માંડવીના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. કેમ્પમાં સેવા આપનાર ડૉ .જય કિર્તીભાઈ મહેતા નું દાતા પરિવાર તરફથી અભિવાદન કરાયું હતું.દાતા પરિવારના રમેશભાઈ મહેતા એ પ્રવચન કરેલ હતું. નિવૃત શિક્ષક ભાઈલાલભાઈ દેવધર અને દાતા પરિવારના વર્ધમાન ભાઈ મહેતા ઉપસ્થિત રહીને કેમ્પમાં સહકાર આપેલ હતો. આ કેમ્પમાં સાજીદભાઈ જત પણ સહયોગી રહ્યા હતા. સંચાલન દિનેશભાઈ શાહે કરેલું હતું જ્યારે જયેશભાઈ જી.શાહે આભાર દર્શન કરેલ હતું.

BIRTHDAY : માંડવી માં 33 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ના સાત કર્મચારીઓ અને સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય ની દિવ્યાંગ છાત્રાઓને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

BIRTHDAY : માંડવીની ગાય માતાને લીલાચારા નું નીરણ કરાયું હતું. તેમજ શ્વાનોને લાડવા અને રોટલા આપીને જીવદયા નું કાર્ય કરાયું હતું. દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ દીકરીઓને મિષ્ટાન ભોજન અપાયું હતું. માંડવીમાં રખડતા-ભટકતા મસ્તરામો ને ભોજન અપાયું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST