JAIN : મૂળ ભુજ કચ્છ ના પરંતુ હાલમાં રાજકોટ નિવાસી શ્રાવિકા શ્રીમતી દીપીનાબેન નરેન્દ્રભાઈ શાહ (હિંગવાળા) સામાયિક કરતા-કરતા સમતા ભાવે શુક્રવારે અરિહંત શરણ પામતા રાજકોટ ના જૈન સમાજ માં શોક ની લાગણી ફેલાઈ.
શનિવારે રાજકોટમાં તેમના નિવાસ્થાને થી નીકળેલી પાલખી યાત્રામાં જૈન- જૈનેતરો બહોળી સંખ્યામાં જોડાયા.
JAIN : મૂળ ભુજ કચ્છના પરંતુ હાલમાં રાજકોટ નિવાસી જૈન શ્રાવિકા શ્રીમતી દીપીનાબેન નરેન્દ્રભાઈ શાહ (હિંગવાળા) તા.14/ 3 ને શુક્રવારના સામાયિક કરતાં- કરતાં સમતા ભાવે અરિહંત શરણ પામતા કચ્છ અને રાજકોટના જૈન સમાજમાં ઘેરા શોક ની લાગણી ફેલાઈ છે.
JAIN : સ્વ. શાહ છગનલાલ ઉત્તમચંદ (હિંગવાલા) ના જયેષ્ઠ સુપુત્ર શાહ નરેન્દ્રભાઈ છગનલાલ ના ધર્મપત્ની દીપીનાબેન (ઉંમર.72 વર્ષ), ગુજરાત સરકારના લઘુ ઉદ્યોગના પૂર્વ ચેરમેન જીતુભાઈ શાહ,દિનેશભાઈ શાહ,રાજકોટના જૈન અગ્રણી અશોકભાઈ શાહ અને સ્વ. જગદીશભાઈ શાહના ભાભી અને ગાંધીધામના જાણીતા સર્જન ડૉ .ચેતનભાઇ વોરા ના સાસુ થતા હતા.
તા. 15/ 3 ને શનિવાર ના સવારના 9:30 કલાકે તેમના નિવાસ્થાન,8, જયરાજ પ્લોટ હિંગવાળા બિલ્ડીંગ, પેલેસ રોડ, રાજકોટ થી સ્વ. દીપીનાબેન શાહની પાલખી યાત્રા માં જૈન- જૈનેતરો બહોળી સંખ્યામાં જોડાયા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પુર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
JAIN : અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્વ.દીપીનાબેન શાહ હસમુખા સ્વભાવ ના હતા. તેમણે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ની ખૂબ જ વૈયાવચ્ચ સેવા કરી હતી. તેમણે સાધર્મિકોની ભક્તિ કરી હતી.તેઓ સતત જુદી-જુદી તપસ્યાઓ કરતા હતા. પાઠશાળા ના બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરતા હતા. રાજકોટ ના કચ્છી સમાજમાં તેમની સુંદર સુવાસ ફેલાયેલી હતી.
JAIN : શનિવારે રાજકોટના પેલેસ રોડ પર આવેલા તપગચ્છ જૈન સંઘ ના વર્ધમાન જૈન ઉપાશ્રય માં તેમના પરિવાર તરફથી રખાયેલા ઉઠમણા માં પરમ પૂજ્ય કલ્યાણ યશવિજયજી મહારાજ સાહેબે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે દીપીનાબેન શાહ સામાયિક કરતા- કરતા અરિહંત શરણ પામતા તેમણે મોત સુધારતા ગયા છે. અને અમર થઈ ગયા છે. પૂજ્ય શ્રીએ સામાયિક નું મહત્વ સમજાવી વધુમાં જણાવ્યું હતું કે, તમો ઘર માં બેઠા હો ત્યારે સામાયિક કરવું જોઈએ. સામાયિક ના ફાયદા પણ તેમણે સમજાવ્યા હતા.પ્રભુજીની પૂજા, પ્રતિક્રમણ, સામાયિક,શક્તિ પ્રમાણો,તપસ્યાઓ કરવા ભાવિકો ને અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો : MANDVI : ₹ ૫૫. ૮૯ લાખના ખર્ચે વલ્લભ સોસાયટી મધ્યે કેનાલના કામનું ખાતમુહૂર્ત
INDIAN SOCIOLOGIST