JIVDAYA : 13 મી માર્ચને ગુરૂવારના રોજ માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ નો "જન્મદિવસ " જીવદયા અને માનવસેવા ના કાર્યો કરીને ઉજવાશે. ડાયાબિટીસ નો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાશે.
JIVDAYA : જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર -3 ના પૂર્વ આચાર્ય અને રાજ્ય/ રાષ્ટ્રીય/ સમાજ રત્ન એવોર્ડ વિજેતા, શાહ દિનેશભાઈ મણીલાલ નો 70 (સીતેર) મો જન્મદિવસ 13મી માર્ચ ને ગુરૂવારના રોજ જીવદયા અને માનવસેવા ના કાર્યો કરીને ઉજવાશે.
JIVDAYA : માંડવી ની ગાય માતાને લીલા ચારા નું નિરણ કરીને તેમજ શ્વાનોને લાડવા અને રોટલા આપીને જીવદયા નું કાર્ય કરાશે. માંડવીના દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ કન્યાઓને મિષ્ટાન ભોજન આપીને તેમજ માંડવીમાં રખડતા ભટકતા મસ્તરામો ને ભોજન આપીને માનવસેવા કરાશે.
JIVDAYA : આ ઉપરાંત 13 મી માર્ચને ગુરૂવારના સવારના ૧૦ થી ૧ વાગ્યા દરમિયાન માંડવીના સોનાવાળા નાકા પાસે - હરિકૃષ્ણ મોલની સામે આવેલા" કિરણ ક્લિનિક"માં ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાશે. આ કેમ્પમાં ગ્લુકોમીટર થી બ્લડ સુગર અને બ્લડપ્રેશરનું નિઃશુલ્ક ચેક અપ કરીને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. અગાઉથી નામ નોંધાવવા ડૉ .જય કિર્તીભાઈ મહેતા નો તેમના મોબાઈલ નંબર 90336 26491 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો : DANG : ડાંગના રાજવી પરિવારને ચુકવાયું રૂl. ૬૭ લાખથી વધુ નું વાર્ષિક સાલિયાણું
INDIAN SOCIOLOGIST