THE INDIAN SOCIOLOGIST

MANDVI-KUTCH : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ

MANDVI-KUTCH : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ


માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પનો માંડવી અને આજુબાજુના કુલ ૧૬૦ લોકોએ લાભ લીધો.

  • માંડવીના સેવા મંડળ અને ભુજના રામકૃષ્ણ મઠ નું સંયુક્ત આયોજન.
  • 11માં કેમ્પમાં એક મહિનાની દવા પણ નિઃશુલ્ક અપાઈ.


MANDVI-KUTCH : માંડવીના સેવા મંડળ અને ભુજના રામકૃષ્ણ મઠ ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં સેવા મંડળના દવાખાનામાં નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવારનો 11 મો મેડિકલ કેમ્પ તાજેતરમાં યોજાયો હતો.

સર્વ રોગ નિઃશુલ્ક આ કેમ્પમાં માંડવી ઉપરાંત કરોડીયા, બેરાજા, રાયણ, શિરવા, કોડાય, ગઢશીશા અને દેવપર ગામના કુલ ૧૬૦ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં એક માસની દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી.

MANDVI-KUTCH : આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ડૉ .મનોજભાઈ માકાણી, ડૉ. ઉષાબેન ભાલીયા, ડૉ .શીતલબેન મારવાડા અને રમીલાબેન માકાણીએ સેવા આપી હતી. આ પ્રસંગે માંડવી નગરપાલિકાના પૂર્વ નગર અધ્યક્ષા ઉર્મિલાબેન પીઠડીયા એ પણ આરોગ્ય સેવા ને બિરદાવી હતી.

આ પ્રસંગે ડૉ .મનોજભાઈ માકાણી એ જણાવ્યું હતું કે હોમિયોપેથિક દવાઓ નિયમિત રીતે લેવાથી જટિલ રોગોમાયે ફાયદો થાય છે.હોમિયોપેથિક દવાઓ નિયમિત અને લાંબા સમય સુધી લેવાથી ગમે તેવા જટિલ રોગોમાં પણ અસરકારક રહે છે. બીજી દવાઓ ચાલુ હોય તો પણ હોમિયોપેથીક દવાઓ લઈ શકાય છે. વળી હોમિયોપેથીક દવાઓ લેવાથી કોઈ આડ અસર થતી નથી.

MANDVI-KUTCH : માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદ ભાઈ મોથારાઈ, ચંદ્રશેન ભાઈ શાહ ,જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સેવા મંડળ સ્ટાફના દીપકભાઈ સોની, રમેશભાઈ ઓધવાણી અને રેખાબેન સોની સહયોગી રહ્યા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST