DONATION : માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ને રૂપિયા 11,000 નું દાન મળ્યું.
DONATION : અંધ, અપંગ,મંદબુદ્ધિ અને બહેરા- મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા" અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી"ને તાજેતરમાં 11,000 નું દાન મળેલ છે.
DONATION : સંસ્થા ની દિવ્યાંગો ની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ, માંડવી ના જયેશભાઈ ગોરધનદાસ આશરે, સંસ્થા ની રૂબરૂ મુલાકાત લઈ સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહને રૂપિયા 11,000(અગિયાર હજાર)નો ચેક અર્પણ કર્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે જયેશભાઈ આશર આ સંસ્થાને અવાર નવાર દાન આપે છે.
DONATION : સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ,ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી તથા સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા જયેશભાઈ ગોરધનદાસ આશર નો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ
INDIAN SOCIOLOGIST