VAGAD : 10 મી માર્ચ ને સોમવારના રોજ ધર્મનગરી રાપર ( વાગડ)ના આંગણિયે શ્રી સુપાશ્વૅનાથ જિનાલયે તા.10 /3 ને સોમવારના રોજ 16 મી ધ્વજારોહણ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.
VAGAD : જૈનાચાર્યશ્રી અનંતયસ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી અનંતજ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદી ઠાણા અને સાધ્વીજી ભગવંતો ની પાવન નિશ્રામાં તા. 10 /3 ને સોમવારના સવારના આઠ કલાકે સાધર્મિક ભક્તિ ( નવકારશી ),8:30 કલાકે સતરભેદી પૂજા, અઢાર અભિષેક તથા જવાહર બેન્ડ પાર્ટી ના સથવારે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે.પૂજામાં સવંત 2082 ની સાલના ધ્વજારોહણના ચડાવા લેવાશે. બપોરે 12 : 39 કલાકે વિજય મુહૂર્તે ધ્વજારોહણ થશે. જ્યારે બપોરે 1:00 વાગે સાધર્મિક સ્વામિવાત્સલ્ય નો કાર્યક્રમ યોજાશે.
સુપાશ્વૅનાથ જિનાલયની ધ્વજા રોહણ ના તથા સોમવારના ત્રણે ટાઈમ ની સ્વામિવાત્સલ્યનો લાભ માતૃશ્રી નંદુબેન ચમનલાલ પ્રાગજીભાઈ ગાંધી પરિવાર (રાપર- નવસારી)એ લીધેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
VAGAD : માણીભદ્રવીર ની ધ્વજા નો લાભ ચંપાબેન મહેન્દ્રભાઈ વનેચંદભાઈ સાતુંદા પરિવાર (રાપર- મુંબઈ) એ, યક્ષરાજ મામાની ધ્વજાનો લાભ માતૃશ્રી કાનુબેન કલ્યાણજી હરખચંદભાઈ સીરિયા પરિવાર (રાપર -સુરત- મુંબઈ) એ, શ્રી ગુરૂમંદિરની ધ્વજાનો લાભ માતૃશ્રી શાંતાબેન મનસુખલાલ સોમચંદભાઈ સાતુંદા પરિવાર (રાપર -સુરત- મુંબઈ) એ લીધેલ છે.
સાંજે 5:30 કલાકે સ્વામિ વાત્સલ્ય (ચોવિહાર )તથા સાંજે 7:00 વાગ્યે સંધ્યા ભક્તિનો કાર્યક્રમ યોજાશે.સંગીતકાર તરીકે સુશીલભાઈ શાહ ભક્તિરસ ની રમઝટ બોલાવશે. જ્યારે વિધિકાર તરીકે પંડિત શુભમ એમ. કટારીયા (થરા) વિધિવિધાન કરશે.
VAGAD : સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા રાપર વીશા શ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્ત વતી સીરિયા રૂપશીભાઇ રાઘવજીભાઈ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો : GIANTS : જાયન્ટ્સ ઇન્ટરનેશનલ મુંબઈની કેન્દ્રીય સમિતિમાં કચ્છ જાયન્ટ્સના ૪ અગ્રણીઓને સ્થાન મળ્યું
INDIAN SOCIOLOGIST