THE INDIAN SOCIOLOGIST

VAGAD : 10 મી માર્ચ ના સુપાશ્વૅનાથ જિનાલયે 16 મી ધ્વજારોહણ ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.

VAGAD : 10 મી માર્ચ ને સોમવારના રોજ ધર્મનગરી રાપર ( વાગડ)ના આંગણિયે શ્રી સુપાશ્વૅનાથ જિનાલયે તા.10 /3 ને સોમવારના રોજ 16 મી ધ્વજારોહણ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.


VAGAD : જૈનાચાર્યશ્રી અનંતયસ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી અનંતજ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદી ઠાણા અને સાધ્વીજી ભગવંતો ની પાવન નિશ્રામાં તા. 10 /3 ને સોમવારના સવારના આઠ કલાકે સાધર્મિક ભક્તિ ( નવકારશી ),8:30 કલાકે સતરભેદી પૂજા, અઢાર અભિષેક તથા જવાહર બેન્ડ પાર્ટી ના સથવારે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે.પૂજામાં સવંત 2082 ની સાલના ધ્વજારોહણના ચડાવા લેવાશે. બપોરે 12 : 39 કલાકે વિજય મુહૂર્તે ધ્વજારોહણ થશે. જ્યારે બપોરે 1:00 વાગે સાધર્મિક સ્વામિવાત્સલ્ય નો કાર્યક્રમ યોજાશે.

સુપાશ્વૅનાથ જિનાલયની ધ્વજા રોહણ ના તથા સોમવારના ત્રણે ટાઈમ ની સ્વામિવાત્સલ્યનો લાભ માતૃશ્રી નંદુબેન ચમનલાલ પ્રાગજીભાઈ ગાંધી પરિવાર (રાપર- નવસારી)એ લીધેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

VAGAD : માણીભદ્રવીર ની ધ્વજા નો લાભ ચંપાબેન મહેન્દ્રભાઈ વનેચંદભાઈ સાતુંદા પરિવાર (રાપર- મુંબઈ) એ, યક્ષરાજ મામાની ધ્વજાનો લાભ માતૃશ્રી કાનુબેન કલ્યાણજી હરખચંદભાઈ સીરિયા પરિવાર (રાપર -સુરત- મુંબઈ) એ, શ્રી ગુરૂમંદિરની ધ્વજાનો લાભ માતૃશ્રી શાંતાબેન મનસુખલાલ સોમચંદભાઈ સાતુંદા પરિવાર (રાપર -સુરત- મુંબઈ) એ લીધેલ છે.

સાંજે 5:30 કલાકે સ્વામિ વાત્સલ્ય (ચોવિહાર )તથા સાંજે 7:00 વાગ્યે સંધ્યા ભક્તિનો કાર્યક્રમ યોજાશે.સંગીતકાર તરીકે સુશીલભાઈ શાહ ભક્તિરસ ની રમઝટ બોલાવશે. જ્યારે વિધિકાર તરીકે પંડિત શુભમ એમ. કટારીયા (થરા) વિધિવિધાન કરશે.

VAGAD : સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા રાપર વીશા શ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્ત વતી સીરિયા રૂપશીભાઇ રાઘવજીભાઈ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST