રાણપુર પાંજરાપોળ ટ્રસ્ટના ઘાસ ના ગોડાઉનમાં આગ લાગતા માંડવીના જય જિનેન્દ્ર ભક્તિ મંડળે 14 હજાર રૂપિયાની સહાય મોકલાવી.
ગુજરાતના બોટાદ તાલુકાના રાણપુર પાંજરાપોળ ટ્રસ્ટના ઘાસના ગોડાઉનમાં લાગેલ વિકરાળ આગથી ગોડાઉનમાં રાખેલા સૂકા ઘાસ બળીને ખાખ થઈ જતા ખૂબ જ નુકસાન થયેલ છે.
ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે માંડવીના જય જિનેન્દ્ર ભક્તિ મંડળ સંસ્થાએ રૂપિયા દસ હજાર (10,000 )અને જય જિનેન્દ્ર ભક્તિ મંડળના સભ્ય શૈલેષભાઈ પ્રાણલાલ શાહ પરિવારે રૂપિયા ચાર હજાર (4000) મળી કુલ ચૌદ હજાર (14,000) રૂપિયા ની સહાય રાણપુર પાંજરાપોળ ટ્રસ્ટને મોકલાવી હોવાનું દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
માંડવી ના જય જિનેન્દ્ર ભક્તિ મંડળના સભ્યો પરેશભાઈ સંઘવી, વિરલભાઈ એન. શાહ, લહેરીકાંત એન. શાહ,પ્રવીણભાઈ સંઘવી, રશ્મિભાઈ દોશી, વિરલકુમાર વાડીલાલ શાહ, ભરતભાઈ શાહ અને અશોકભાઈ સંઘવી સહિતના તમામ સભ્યો માંડવીમાં જીવ દયાનું સુંદર કાર્ય કરી રહ્યા છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે સુશ્રી શાલિની દુહાને ચાર્જ સંભાળ્યો.