THE INDIAN SOCIOLOGIST

BIRTHDAY CELEBRATION : ડો. ધીરજભાઈ શાહે પોતાનો જન્મદિવસ અગોતરો માંડવીમાં વિશિષ્ટ રીતે ઉજવ્યો

 BIRTHDAY CELEBRATION : ડો. ધીરજભાઈ શાહે પોતાનો જન્મદિવસ અગોતરો માંડવીમાં વિશિષ્ટ રીતે ઉજવ્યો


મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી દિલેરી દાતા ડો. ધીરજભાઈ શાહે પોતાનો જન્મદિવસ અગોતરો માંડવીમાં વિશિષ્ટ રીતે ઉજવ્યો


મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી દિલેરી દાતા ડો. ધીરજભાઈ હરિલાલ શાહે પોતાનો જન્મ દિવસ અગોતરો માંડવીમાં વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો.

BIRTHDAY CELEBRATION : માંડવીના સેવા મંડળના માધ્યમથી માંડવીના જરૂરત મંદ પચાસ પરિવારોને, કાળઝાળ ગરમીમાં રાહત આપવા, સારી કોલેટીના ૫૦ ટેબલ પંખા અને દરેક પરિવારોને પાંચસો રૂપિયા રોકડા આપીને પોતાનો જન્મ દિવસ માનવ સેવાથી ઉજવ્યો હતો. તેમનો જન્મ દિવસ ૨૩મી મેના છે પરંતુ કાળઝાળ ગરમીમાં ટેબલ પંખા થી રાહત આપવા જન્મ દિવસની અગોતરી ઉજવણી કરી હતી.

માંડવીમાં મંછારામ બાપુના વાડામાં આવેલા સેવામંડળમાં તા. ૧૯-૪ ને શનિવારના સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાને ટેબલપંખા વિતરણના કાર્યક્રમમાં ભુજ નિવાસી લક્ષ્મીકાંતભાઈ પ્રાણલાલ શાહ અને શ્રીમતી મેધાબેન લક્ષ્મીકાંતભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

BIRTHDAY CELEBRATION : લક્ષ્મીકાંતભાઈ શાહે દિપ પ્રગટાવીને કાર્યક્રમને ખૂલ્લો મૂકતા જણાવ્યું હતું કે, આજે અમેરિકા નિવાસી દિલેર દાતા ડો. ધીરજભાઈ તરફથી, માંડવીના જરૂરત મંદ ૫૦ પરિવારોને દરેકને રૂપિયા ૩૭૨૫/- ની કિંમતનો સારી કોલેરીનો ટેબલ પંખો અને દેરક પરિવારને ૫૦૦/- રૂપિયા રોકડા આપવામાં આવશે. હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેમાં રાહત આપવા ડો. ધીરજભાઈ શાહે ટેબલ પંખા ની ભેટ આપીને પોતાના જન્મ દિવસની અગોતરી ઉજવણી કરી છે.

માંડવીના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપીને જણાવ્યું હતું કે, ડો. ધીરજભાઈ શાહ મૂળ માંડવીના છે પરંતુ હાલમાં અમેરિકામાં રહે છે. તેઓ અમેરિકામાં બેસીને માંડવીને ચિંતા કરે છે અને વર્ષોથી સેવામંડળને ખૂબજ આર્થિક સહયોગી આપી રહ્યા છે.

BIRTHDAY CELEBRATION : માંડવી સેવામંડળના ટ્રસ્ટી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું કે, ડો. ધીરજભાઈ શાહે પોતાના માતા પ્રભાબેન અને પિતા હરિલાલભાઈની સ્મૃતિમાં તેમની પ્રેરણાથી અને અનુદાનથી ૨૦૦૪ની સાલથી સેવામંડળમાં “હરિ પ્રભા” સાર્વજનિક દવાખાનું ચાલુ છે, જે ૨૧ વર્ષથી આજ પણ કાર્યરત છે. આ દવાખાનું સોમવારથી શનિવાર દરરોજ ૯.૩૦ થી ૧.૦૦ સુધી ચાલુ હોય છે. અને ટોકનચાર્જથી દવા અને લેબોરેટરીની તપાસ કરી અપાય છે. ડો. પુલિનભાઈ વસા સેવામંડળમાં છેલ્લા ૮ વર્ષથી સોમવારથી શુક્રવાર માનદ સેવા આપે છે. ડો. પ્રાંચીબેન પંડયા પણ સોમ થી શનિવાર સેવા આપે છે. ડો. ધીરજભાઈ શાહ અમેરિકાથી અને તેમના ભાઈ નિતીનભાઈ જયારે જયારે માંડવી આપે છે. ત્યારે સેવામંડળની મુલાકાત લઈને સેવામંડળની સેવાથી સંતોષ વ્યકત કરે છે.

અતિથિ વિશેષ લક્ષ્મીકાંતભાઈ શાહ અને મેઘાબેન શાહ તેમજ સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તેમજ સેવામંડળના ટ્રસ્ટી મંડળના ભગવતીપ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહના હસ્તે માંડવીના જરૂરત મંદ ૫૦ પરિવારોને ટેબલ પંખાનું વિતરણ કરાયું હતું તેમજ દરેક લાભાર્થીને ૫૦૦ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેવામંડળના ટ્રસ્ટી દિનેશભાઈ મણીલાલ શાહે કરેલ હતું જયારે ટ્રસ્ટી જયેશભાઈ જી. શાહે આભાર દર્શન કરેલ હતું.

કાર્યક્રમને સફળ બનાવવા સેવા મંડળના ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી. જયારે સેવામંડળના સ્ટાફના દિપકભાઈ સોની સહયોગી રહ્યા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST