MANDVI : માંડવીના અને હાલે મુંબઈ રહેતા રાષ્ટ્રવાદી અગ્રણી શ્રી ભરતભાઈ કારાણીને એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
MANDVI : માંડવીના અને હાલે મુંબઈ રહેતા રાષ્ટ્રવાદી અગ્રણી શ્રી ભરતભાઈ કારાણીનું મુંબઈ મધ્યે ટ્રેન અકસ્માતમાં દુ:ખદ અવસાન થતાં શ્રીમતી મણીબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિર - માંડવીમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યામંદિરના શરૂઆતથી કરી હાલ સુધી તેમનો સહયોગ વિદ્યાલયને મળતો રહ્યો હતો. "મડઈ જા માડૂ", રામસેતુ ગ્રુપ, કર્ણાવતી એ પણ અમદાવાદ માં સ્વ.ભરતભાઈ કારાણી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
MANDVI : સને 2001 માં ભૂકંપ વખતે તેમજ કોરોના કાળમાં કચ્છથી મુંબઈ આવતા લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થતાં તેથી તેમની આ સેવાને લોકો આજ પણ યાદ કરે છે. પાર્લાની તેમની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. પાર્લાના ધારાસભ્ય શ્રી અલવાણી તથા પ્રાગપર અહિંસાધામ ના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ સંગોઈ પણ જોડાયા હોવાનું હિરજી ભાઈ કારાણી અને માંડવી નાં જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : માંડવીમાં યોજાયેલા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર મેડિકલ કેમ્પ
INDIAN SOCIOLOGIST