THE INDIAN SOCIOLOGIST

માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનું અનેરૂ આયોજન અભ્યાસ કરી ગયેલી પૂર્વ છાત્રાઓનું સ્નેહમિલન

11મી એપ્રિલને રવિવારના રોજ માંડવીના વિકલાંગ કન્યા છાત્રાલય માં રહીને અભ્યાસ કરતી છાત્રાઓ અને અભ્યાસ કરી ગયેલી પૂર્વ છાત્રાઓનું સ્નેહમિલન યોજાશે



આઈ.ટી.આઈ. સહિત ઉચ્ચ અભ્યાસ અંગે માર્ગદર્શન અપાશે તેમજ સરકારશ્રી તરફથી અપાતી સહાય અને સંસ્થા તરફથી અપાનારી સહાય વિશે સ્નેહમિલન માં માહિતી અપાશે

અંધ,અપંગ,મંદબુદ્ધિ અને મુકબધીર જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા ૩૩ વર્ષથી, સતત કાર્યરત સંસ્થા "અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી" ના ઉપક્રમે, ૨૦૧૫ની સાલથી સંસ્થા સંચાલિત "વિકલાંગ કન્યા છાત્રાલય" માં રહીને માંડવીની જુદી જુદી સ્કૂલો અને કોલેજમાં અભ્યાસ કરતી અને અભ્યાસ કરી ગયેલ પૂર્વ છાત્રાઓનું સ્નેહમિલન તા. 11-05 ને રવિવારના સવારના ૧૧-૩૦ વાગે રાખવામાં આવેલ છે.

આ સ્નેહમિલન આઈ.ટી.આઈ. સહીત ઉચ્ચ અભ્યાસ અને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે તેમજ સરકારશ્રી તરફથી અભ્યાસ માટે મળતી શિષ્યવૃત્તિ અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી તરફથી અપાનાર આર્થિક સહાયની માહિતી આપવામાં આવનાર હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું

આ સ્નેહમિલનમાં દિવ્યાંગ છાત્રા પોતાના માતા-પિતા કે પરિવારના સભ્ય સાથે માંડવી આવી શકશે. સ્નેહમિલન બાદ સ્વરૂચી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ જણાવ્યું હતું.

આ સ્નેહમિલનમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી વ્યક્તિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.

આ સ્નેહમિલન ને સુપેરે પાર પાડવા સંસ્થાના ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યા હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે



Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST