THE INDIAN SOCIOLOGIST

DINDAYAL PORT : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીનદયાળ પોર્ટ કંડલાના રૂ.૫૩૨ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

DINDAYAL PORT : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીનદયાળ પોર્ટ કંડલાના રૂ.૫૩૨ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.


વિવિધ ૭ વિકાસ કામોના લોકાર્પણથી પોર્ટમાં ઝડપી કાર્ગો પરિવહન, રોજગારીનું સર્જન, ટ્રાફીક કંટ્રોલ, તથા બંદરના આર્થિક વિકાસને વેગ મળશે

લોકાર્પણ થનારા વિકાસ કાર્યો પોર્ટની ક્નેકટીવીટી, સંગ્રહ ક્ષમતા તથા લોજિસ્ટીક્સમાં વધારો કરશે

આગામી ૨૬ મે ના ભુજ ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દીનદયાળ પોર્ટ,કંડલાના રૂા.૫૩૨ના સાત મહત્વપૂર્ણ કામોનું લોકાર્પણ કરશે. જે પ્રોજેક્ટસ પોર્ટની કાર્યક્ષમતા અને સંગ્રહક્ષમતામાં વધારો કરશે. આ કામોમાં રૂા.૨૨૬ કરોડના ખર્ચે જુના કંડલા ખાતે બનેલ ૮ નંબરની ઓઇલ જેટી, રૂા.૭૭ કરોડના ખર્ચે સ્ટોરેજ ગોડાઉન, રૂા.૭૫ કરોડના ખર્ચે આદિપુર થી કાર્ગો બર્થ ૧૬ થી NH 141ને જોડતો વધારાનો રોડ, રૂા.૧૦૦ કરોડના ખર્ચે EXIM કાર્ગોના સંગ્રહ માટે પોર્ટક્ષેત્રના વિસ્તરણનું કામ, રૂા. ૪૧ કરોડના ખર્ચે તુણા - ટેકરામાં કન્ટેનર ટર્મિનલ માટે કનેકટીવીટી માટે કરાયેલી કામગીરી, રૂા.૬.૫ કરોડના ખર્ચે ગોપાલપુરી પોર્ટ કોલોનીમાં બનાવેલા ક્વાર્ટસ તેમજ રૂ.૬.૫ કરોડના ખર્ચે ગાંધીધામ ડીપીએ વહીવટી ઓફીસ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સના વિકાસકામોનો સમાવેશ થાય છે. આ વિકાસકામના લોકાર્પણથી ઝડપી કાર્ગો તથા મોટા કદના જહાજનું સંચાલન, રોજગારીનું સર્જન, ટ્રાફીક કંટ્રોલ તથા લોજિસ્ટિકસ કામગીરી તથા બંદરના આર્થિક વિકાસને વેગ સહિતના લાભો થશે.

વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ થનાર મુખ્ય પ્રોજેક્ટમાં રૂા.૨૨૬ કરોડના ખર્ચે જુના કંડલા ખાતે બનેલી ઓઇલ જેટ્ટી નં.૮નો સમાવેશ થાય છે. આ જેટી ૩.૫ MTPA ક્ષમતાનો વધારો કરશે અને ૮૦૦૦ DWTની સુધીના મોટા કદના જહાજનું સંચાલન થઇ શકશે. જેનાથી એલપીજી, ખાદ્ય તેલ અને રસાયણો વગેરે કાર્ગોનું સંચાલન શક્ય બનાવશે. કરીને વપરાશકર્તાઓની માંગને પૂર્ણ કરી શકાશે. સાથે જ બર્થ વેઇટિંગ પિરિયડ ઘટશે તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારનું નિર્માણ થશે.

તદુપરાંત રૂા.૭૭ કરોડના કાર્ગો જેટી વિસ્તાર,કંડલામાં ડોમ શેપ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ ગોડાઉનના લોકાર્પણથી ૩૪૫૬૦ ચો.મી જેટલી સંગ્રહ ક્ષમતા તથા ૧.૫ લાખ મેટ્રિક ટન ક્ષમતામાં વધારો થશે. તેની લીક પ્રુફ્ર છત માલ-સામાનને સુરક્ષા પુરી પાડશે અને હેન્ડલિંગ સમયમાં ઘટાડો સહિતના ફાયદા થશે.
રૂા.૭૫ કરોડના ખર્ચે બનેલા આદિપુરથી કાર્ગો ૧૬ થી એનએચ ૧૪૧ સુધીના ફોર લેન રોડ ક્નેકટીવિટી પ્રોજેકટ મુસાફરીનો સમયમાં ઘટાડશે, માલ-સામાનના ઝડપી પરિવહનથી આર્થિક વિકાસને વેગ મળશે અને ભવિષ્યમાં બંદર પરના ટ્રાફિકને એકસાથે સમાવી શકવાની ક્ષમતામાં વધારો તથા ટ્રાફિકના વ્યવસ્થાપનમાં વધારો થવાને લીધે કાર્ગો ઇવેક્યુએશન ઝડપી બનશે. ઉપરાંત રૂા.૧૦૦ કરોડના બનેલા EXIM કાર્ગોના સંગ્રહ માટે બંદર વિસ્તારના વિસ્તરણ પ્રોજેકટ હેઠળ કુલ 30 હેક્ટર વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે, જે ધસારાને ટાળીને મુસાફરીનો સમય ઘટાડશે, બંદર માળખાને ટેકા સાથે લોજિસ્ટિક્સ કામગીરી તેમજ આર્થિક વિકાસને વેગ આપશે, કાર્ગો ખાલી કરાવવાની કામગીરી ઝડપી બનશે તેમજ ભવિષ્યમાં બંદર ટ્રાફિકને એકસાથે સમાવી શકાશે.

રૂા.૪૧ કરોડના તુણા-ટેકરા ખાતે કરાયેલા કન્ટેનર ટર્મિનલ સાથેના સમાંતર જોડાણથી તુણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલનું સંચાલન સરળ બનશે. ટ્રાફિકની સરળ અવરજવર અને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો તથા ટર્ન અરાઉન્ડ સમય ઘટશે. તેમજ રૂા.૬.૫ કરોડના ખર્ચે ગોપાલપુરી, ગાંધીધામ ખાતે બનેલા ૨૪ ક્વાર્ટરથી બંદરના કર્મચારીઓને આવશ્યક સુવિધાઓ પુરી પાડશે. ઉપરાંત રૂા. ૬.૫ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સનું નિમાર્ણ કરાયું છે. જે ગ્રીન હાઇડ્રોજન અપનાવવા, વૈશ્વિક સહયોગને સરળ બનાવવા અને નવીનતાને પ્રેરણા આપવા માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ બની રહેશે. તેમાં સંશોધન અને વિકાસ કેન્દ્ર, તાલીમ ખંડ, મુલાકાતીઓ માટે ગેલેરી, બહુહેતુક અને કોન્ફરન્સ રૂમ, પુસ્તકાલય, બિનપરંપરાગત ઊર્જાના પ્રદર્શન મોડેલો તથા ઉપયોગિતા સેવાઓ અને કાફેટરિયા વગેરેનો સમાવેશ થાય છે.


http://www.indiansociologist.in
Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST