માંડવીમાં વિશ્વ તમાકુ નિષેધ દિન ઉલ્લાસભેર ઉજવાશે
જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને પરમ પૂજ્ય નરેશમુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનનું સંયુક્ત આયોજન
માંડવીમાં છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને ૨૫ વર્ષથી કાર્યરત પરમ પૂજ્ય નરેશમુનિ "આનંદ" મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૩૧-૦૫ ને શનિવારના રોજ "વિશ્વ તમાકુ નિષેદ દિન" ઉલ્લાસભેર ઉજવાશે.
માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ અને મંત્રી અરવિંદભાઈ શાહ તથા પરમ પૂજ્ય નરેશમુનિ "આનંદ" મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઇ જોષી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ, મંત્રીશ્રી દિનેશભાઈ શાહે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યુ હતુ કે, માંડવીને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) માં તા. ૩૧-૦૫ ને શનિવારના સવારના ૧૦-૦૦ વાગે, એક ક્રાર્યક્રમમાં, જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મેડિકલ ઓફિસર ડો. જયેશભાઈ મકવાણા, આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમક્ષ વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીનું મહત્વ સમજાવીને તમાકુ, ગુટકા, વગેરેથી થતા નુકસાન વિશે વિગતવાર માહિતી આપશે.
જનકલ્યાણ મેડિકલ સોસાયટી ડો. સૌરભ પટેલ (એમ.ડી. મેડિસિન), દાંતના ડો. દીગ્ના પટેલ અને મેડિકલ ઓફિસર ડો. જયેશભાઈ મકવાણા, આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓનું ચેકઅપ કરી યોગ્ય માર્ગદર્શન આપશે.
આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓ માટે "હમ સબકા હૈ યહી સપના - નશા મુક્ત હો દેશ અપના" વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ ત્રણ નંબરે વિજેતા થનારને બંને સંસ્થા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવશે. નિબંધો મોડામાં - મોડા તા. ૨૮-૦૫ ને બુધવારના સાંજના ૬ વાગ્યા સુધીમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટી, માંડવી - ભુજ હાઈ વે રોડ, માંડવી કચ્છને પહોંચાડવા વ્યસનમુક્તિ અભિયાનના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આઈ.ટી.આઈ.ના આચાર્ય પ્રતિકભાઈ પરસાણીયા, ફોરમેન દેવાંગભાઈ વાંઝા તથા તેમનો સ્ટાફ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.