Operation Sindoor : માંડવી નગરપાલિકા દ્વારા “ઓપરેશન સિંદુર” ની થીમ પર વોલ પેન્ટિંગ કરવામાં આવેલ છે.
માંડવી : પાકિસ્તાની આતંકીઓ દ્વારા પહેલગામમાં પ્રવાસીઓને મારી નાખ્યા બાદ ભારતના સશસ્ત્ર દળોએ “ઓપરેશન સિંદુર” ની સફળતા સાથે ભારતનું ગૌરવ વધારેલ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કાર્ય બાદ પ્રથમ વખત કચ્છ પધારી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભા.જ.પ. મહામંત્રી અને સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભા.જ.પ. પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેના માર્ગદર્શન હેઠળ માંડવી નગરપાલિકા દ્વારા “ઓપરેશન સિંદુર” ની થીમ પર ડો. ચુનીલાલ વેલજી મહેતા ઉદ્યાન મધ્યે વોલ પેન્ટિંગ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે અધ્યક્ષ હરેશ વિંઝોડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ એન.ડી.એ.ની સરકારે આતંકવાદ સામે કઠોર નિર્ણય લઇ ભારતીય સશસ્ત્ર દળોને નિર્ણાયક છૂટો દોર આપ્યો હતો, ત્યારે વિંગ કમાન્ડર વ્યોમીકાસિંઘ, કર્નલ. સોફિયા કુરેશી અને ભારતીય ત્રણેય દળના જવાનોએ યુદ્ધમાં વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. અને યુદ્ધમાં શહીદ થયેલા જવાનો અને માર્યા ગયેલા ભારતીય પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.
આ પ્રસંગે ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણી, કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર, સતા પક્ષના નેતા લાંતિક શાહ, પાણી પુરવઠાના ચેરમેન પારસ માલમ, બાંધકામ ચેરમેન રાજેશ કાનાણી, સેનિટેશન ચેરમેન પિયુષ ગોહિલ, ટાઉન પ્લાનિંગના ચેરમેન વિજય ગઢવી, પારસ સંઘવી મુખ્ય અધિકારી જિજ્ઞેશ બારોટ, હેડ ક્લાર્ક મનજી પરમાર, ભુપેન્દ્ર સલાટ સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
“ઓપરેશન સિંદુર” થીમ પર વોલ પેન્ટિંગમાં અનીલ જોષી, હરેશ સોલંકી, દિલેન સોલંકી, જીતેશ ફુલીયા, જીત બીજ્લાણીએ પેન્ટિંગ કરેલ હતી.