THE INDIAN SOCIOLOGIST

PM MODI : મોદી સાહેબની કચ્છની મુલાકાતની ખુશીમાં જીવદયાના કાર્યો કર્યા

PM MODI : મોદી સાહેબની કચ્છની મુલાકાતની ખુશીમાં જીવદયાના કાર્યો કર્યા

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કચ્છની મુલાકાતની ખુશીમાં માંડવીના છકોટી જૈન સંઘે જીવદયાના કાર્યો કર્યા

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કચ્છ જિલ્લાની મુલાકાતની ખુશીમાં માંડવીના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘે ગાય માતાને લીલાચારાનું નિરણ કરીને, જીવદયાનું કાર્ય કરેલ હતું.

બંદરીય માંડવી શહેર પણ મોદી સાહેબને આવકારવા તત્પર છે ત્યારે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત સાધના સમ્રાટ પરમ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામીની પ્રેરણાથી, માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘે ગાયમાતાને લીલાચારાનું નિરણ કરીને, જૈનોની કુળદેવી જીવદયાના કાર્યો દ્વારા મોદી સાહેબની કચ્છ જિલ્લાની મુલાકાતને વધાવી છે.

જીવદયાના આ સેવાયજ્ઞમાં માંડવી છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા, મંત્રી પુનિતભાઈ શાહ (લાકડાવાળા), ખજાનચી જયેશભાઈ જી. શાહ, ચિંતનભાઈ મહેતા, નીતિનભાઈ ગાંધી, રાહુલભાઈ સંઘવી, શીતલભાઈ સંઘવી, અશ્વિનભાઈ મહેતા, પિનાકીનીબેન સંઘવી અને પ્રિયા સંઘવી વગેરે જોડાયા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.


Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST