THE INDIAN SOCIOLOGIST

ON LINE HAYATI : ઓનલાઇન હયાતી ની ખરાઇ કરવાના નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો.

ON LINE HAYATI : ઓનલાઇન હયાતી ની ખરાઇ કરવાના નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો.


માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સતત ચોથા વર્ષે યોજાયેલા ઓનલાઇન હયાતી ની ખરાઇ કરવાના નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો.

નાદુરસ્ત તબિયતના કારણે કેમ્પમાં આવી ન શકનાર નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોને ઘરે રૂબરૂ મુલાકાત લઈને નિઃશુલ્ક હયાતી ની ખરાઈ સંગઠન દ્વારા કરી આપવાની ઘોષણા કરાઈ.


ઓનલાઇન હયાતી ની ખરાઇ હયાતીની ખરાઈ કરી આપ્યા બાદ,તેની પ્રિન્ટ માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈન અર્પણ કરતા નજરે પડે છે.

માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સતત ચોથા વર્ષે યોજાયેલા ઓનલાઈન હયાતી ની ખરાઈ કરવાના નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો હતો.
માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ના માંડવી ના નાનાલાલ વોરા માર્ગ પર આવેલ સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા ના પ્રમુખ પદે અને માંડવી ના મામલતદાર સાહેબ અને તાલુકા મેજિસ્ટ્રેટ શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબના મુખ્ય મહેમાન પદે હયાતી ની ખરાઈ ઓનલાઈન નિઃશુલ્ક કરી આપવાનો કેમ્પ યોજાયો હતો.
પ્રારંભમાં માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ ના આશાસ્પદ સ્વ.પુત્ર 'દીપ' ના ગત વર્ષે જૂન માસમાં થયેલા અકાળે નિધન બદલ, બે મિનિટનું મૌન પાળી સ્વ.દિપ શાહ ને શ્રદ્ધાંજલિ અર્પવા માં આવી હતી.સ્વ.દિપ શાહે સતત ત્રણ વર્ષ સુધી ઓનલાઈન ખરાઈ કરવા નાં નિઃશુલ્ક કેમ્પમાં સેવા કરી હતી.
માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબે મુખ્ય મહેમાન પદે થી દિપ પ્રગટાવી ને કેમ્પ ને ખુલ્લો મુકતા સ્વ.દિપ શાહ ને શ્રદ્ધાંજલિ અર્પી, સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે કેમ્પના આયોજન બદલ માંડવી તાલુકા નિવૃત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ અને મંત્રી દિલીપભાઈ જૈન અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે કેમ્પને શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક, માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને નિવૃત્ત કેળવણી નિરીક્ષક પી.પી. રાવલ સાહેબ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રીમતી અનસુયાબેન પંડ્યા કેમ્પમાં ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી, ઘોષણા કરતા જણાવ્યું હતું કે,જે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો નાદુરસ્ત તબિયતના કારણે કેમ્પમાં આવી શક્યા નથી. તેઓ સંસ્થાને જાણ કરશે તો તેમના ઘરે રૂબરૂ મુલાકાત લઈને હયાતીની ઓનલાઇન ખરાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક કરી અપાશે.
હયાતીની ઓનલાઇન ખરાઈ કરવાની સેવા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહના ભત્રીજા ધવલ ધીરજભાઈ મહેતા અને મંત્રી દિલીપભાઈ જૈન ના સુપુત્ર જીગર દિલીપભાઈ જૈને સેવા કરી હતી.
બંને સેવાભાવી ધવલ મહેતા અને જીગર જૈન નું સંસ્થા તરફથી અને પૂર્વ કેળવણી નિરીક્ષક શ્યામગરભાઈ ગુંસાઈ તરફથી શાલ ઓઢાડીને તાલુકા મામલતદાર વિનોદભાઈ ગોકલાણી સાહેબ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ, મંત્રી દિલીપભાઈ જૈન અને પૂર્વ કેળવણી નિરીક્ષક શ્યામગરભાઈ ગુંસાઈ ના હસ્તે શાલ ઓઢાડીને અભિવાદન કરાયું હતું.
વિનોદભાઈ ગોકલાણી સાહેબ અને શાંતિલાલભાઈ ગણાત્રા નું સંસ્થા તરફથી શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહની સેવાની કદરરૂપે માંડવી ની જૈન નૂતન પ્રાથમિક શાળા, નં.- 3 ના નિવૃત્ત શિક્ષિકા અને પૂજ્ય મોરારીબાપુ ના ચિત્રકૂટ એવોર્ડ વિજેતા પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવી તરફથી, મામલતદાર વિનોદભાઈ ગોકલાણી સાહેબ અને શાંતિલાલભાઈ ગણાત્રા ના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.
આ કેમ્પનું આયોજન નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો( પેન્શનરો) માટે કરવામાં આવેલ હતું.પરંતુ આ કેમ્પમાં આવેલા નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો, નિવૃત્ત કેળવણી નિરીક્ષકો, હાઈસ્કૂલના શિક્ષકો, ક્લાર્કશ્રીઓ,આરોગ્ય કર્મચારીઓ અને ચોથા વર્ગના નિવૃત્ત કર્મચારીઓને પણ હયાતી ની ઓનલાઇન ખરાઈ કરી આપવામાં આવી હતી. તેમજ હયાતીની ખરાઈની પ્રિન્ટ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.
આ કેમ્પમાં દર વર્ષની જેમ ચોથા વર્ષે પણ સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ ના સૌજન્ય થી મિનરલ ઠંડા પાણી,ચા અને અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહે કર્યું હતું. જ્યારે નિવૃત્ત શિક્ષિકા પિનાકીનીબેન સંઘવીએ આભાર દર્શન કરેલું હતું. કેમ્પ ના આયોજનને નિવૃત્ત કેળવણી નિરીક્ષક શ્રી શ્યામગરભાઈ ગુંસાઈ અને ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શ્રીમતી પીનાકિનીબેન સંઘવીએ પોતાના પ્રવચનમાં બિરદાવેલ હતું .







Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST